________________
૪૮
અષ્ટાવક્ર ગીતા. આત્મજ્ઞાન જેને થયેલું છે એવો પુરુષ ક્રીડાવશ થવું જોઈએ નહિ. अद्भुतं शानदुर्मित्रमवधार्यातिदुर्बलः। आश्चर्य काममाकांभेत्कालमन्तमनुश्रितः॥७॥
અર્થ. જ્ઞાનના વિરોધી-શત્રુ એવા કામને પિતે અતિ દુર્બળ હોવા છતાં પણ જેઓ સેવે છે તે અંતકાળે દુઃખી થાય છે.
ટીકા. કામ છે તે જ્ઞાનને તેની સાથે જ ઉત્પન્ન થયેલ સહજ શત્રુ છે, એવું જાણવા છતાં પણ જે પુરુષ અંતલગી દુર્બળ થઈ જતાંએ તેને છોડતો નથી તે દુઃખી થાય છે. જ્ઞાન મેળવી કામને ભજનારાઓ માટે અહિં આશ્ચર્ય બતાવવામાં આવે છે. આશ્ચર્ય એજ છે કે-જ્ઞાન હોવા છતાં કામ છૂટતું નથી એવો પ્રબળ માયાને પાશ છે. જેમ બને તેમ કરીને ધીરે ધીરે પણ કામનાઓને ત્યાગ કરવો એ જ્ઞાનીને માટે હરહમેશ વિચારવાનું છે. इहामुत्र विरक्तस्य नित्यानित्यविवेकिनः । आश्चर्य मोक्षकामस्य, मोक्षादेव विभीषिका ॥ ८॥
અર્થ. આત્મા નિત્ય અને શરીરાદિક અનિત્ય છે એ વિચાર કરી જાણનાર વિવેકી, વિરક્ત અને મેલની કામનાવાળા પુરુષને પણ કારા થતી હોવાને લીધે મોક્ષને માટે ભય લાગે છે.
धीरस्तु भोज्यमानोपि, पीडथमानोपि सर्वदा।।
आत्मानं केवलं पश्यन् न तुष्यति न कुप्यति ॥ ९ ॥ જ્ઞાનીની નિર્ભયતા.
અર્થ. જ્ઞાની પુરુષને શોક અને કેપ થતું નથી