________________
અધ્યાય ર જે ઝાંઝવાનું જળ દેખાય છે તેમ અજ્ઞાને કરીને હું જે બ્રહ્મરૂપ છું તેમાં આ કલ્પિત વિશ્વ જણાય છે. મારું આ અજ્ઞાન હવે નાશ પામ્યું છે અને મને બ્રહ્મ સર્વત્ર બ્રહ્મજ માલુમ પડે છે. આજ સુધી મને તેને ભાસ થયો નહિ તેનું કારણ મારું અજ્ઞાન છે. જ્ઞાન–આત્મજ્ઞાનને જ્યારે હૃદયમાં ઉદય થાય છે ત્યારેજ બ્રહ્મસ્વરૂપ સમજાય છે, આ ખરેખર મેટું આશ્ચર્ય છે.
मत्तो विनिर्गतं विश्व मय्येव लयमेष्यति । मृदि कुंभो जले वीचिः कनके कटकं यथा ॥१०॥
અર્થ. જેમ માટીમાં ઘડા, જળમાં તરંગ અને સેનામાં કુંડળ આદિ અલંકાર સમાઈ જાય છે, તેમ મારા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ (મજ્ઞાન થતાં) પાછું મારામાંજ લય પામે છે: ૧૦
ટીકા. “મારામાંથી (આત્મામાંથી ) વિશ્વ ઉત્પન્ન થાય છે અને પાછું તેમાંજ લય પામે છે, એ જનકરાજાને આત્મબંધ થતાં ખાતરી થાય છે. આત્મજ્ઞાનના મૂલભૂત ઉપનિષદોમાં પણ એજ વિચાર આપેલ છે. તો શા માનિ જેનાથી આ ભૂત માત્ર ઉત્પન્ન થાય છે, જેની સત્તાથી જગે છે અને તેમાંજ પાછાં લય પામે છે, સમાઈ જાય છે. દર્શનશાસ્ત્રોમાં ઘણાના મત જુદા જુદા છે પણ વેદાંત તે વેદને જ માન્ય રાખી તેને અનુસરતી યુક્તિથી જગત અને બ્રહ્મની અભિન્મતા બતાવે છે. સાંખ્યવાળા પરિણાંમવાદને માને છે, જે વિકાસવાદના જે વાદ છે, એટલે અસલ અબWયી અવસ્થાતરતા આવવી તે પરિણામવાદ, જેમકે દૂધનું દહિં, માટીમાંથી ધડે, અને સોનામાંથી કડાં, કુંડળ વગેરે અલંકાર-તેમ પ્રકૃતિના પરિણામથી જગત અને તેમાંનું બધું ઉત્પન્ન થાય છે. જ્યારે સાંખ્યવાળા આમ માને છે ત્યારે ન્યાયવાળાઓ આરંભવાદને માને છે. એક