SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૪ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫ જ્ઞાનસાર મમતા વિનાના, મૂર્છા વિનાના, આસક્તિ વિનાના અને પરદ્રવ્યની અપેક્ષા વિનાના નિઃસ્પૃહ અને નિરીહ થઈને આત્મતત્ત્વની સાધનામાં પ્રવર્તે છે. ઉદાસીન એટલે કે મધ્યસ્થ થઈને પ્રવર્તે છે. તેઓ મનમાં આવા વિચારો કરે છે કે આ પરિગ્રહ એ મોહની ઉત્પત્તિ અને મોહની વૃદ્ધિનું કારણ છે. આત્માની વ્યાસંગદશા (આકુલ-વ્યાકુલતા વાળી દશા) કરવાનું કારણ છે. આ પરિગ્રહ તે આત્માના શત્રુતુલ્ય છે. તેને મેળવવામાં પણ ઘણાં દુ:ખો વેઠવાં પડે છે. મેળવેલાને સાચવવામાં પણ ઘણી ઉપાધિઓ હોય છે. અને તેમ છતાં વિયોગ થાય ત્યારે ઘણું જ દુઃખ આપે છે માટે શત્રુતુલ્ય છે. આત્માનું ઘણું જ અહિત કરનાર છે. તથા પારમાર્થિક રીતે નિઃસાર છે. તેનાથી રાગ-દ્વેષ, કડવાશ અને વેર-ઝેર વિના બીજું કંઈ જ પ્રાપ્ત થવાનું નથી. માટે મારે આવા પરિગ્રહ વડે શું કામ છે ? આવા પરિગ્રહ વડે સર્યુ. આ મહાત્મા આવા વિચારો કરે છે. આ ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહ પુદ્ગલદ્રવ્ય હોવાથી મારું દ્રવ્ય નથી, હું તેનું દ્રવ્ય નથી, મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહ એ મારું સ્વરૂપ નથી. હું તેનું સ્વરૂપ નથી. કર્મોદયજન્ય વિકૃત સ્વરૂપ છે. બાહ્ય અને અભ્યન્તર આ પરિગ્રહ વડે હું સુખી નથી. પણ દુ:ખીદુ:ખી છું. કારણ કે તે પરિગ્રહ મારા આત્મસ્વરૂપની પ્રગટતા કરવામાં બાધક તત્ત્વ છે. તેથી મદિરાનું પાન કરવાથી મદોન્મત્ત (ગાંડો) બનેલો પુરુષ સેન્સ ગુમાવેલ હોવાથી પોતાના શરીર ઉપર જેમ કાદવનો લેપ કરે પરંતુ તે લેપ જેમ પારમાર્થિકપણે સુખનું કારણ નથી, તેવી જ રીતે આ પરિગ્રહ પણ ઉપાધિભૂત હોવાથી સુખનું સાધન નથી. પરંતુ ગુણના આવિર્ભાવમાં બાધક તત્ત્વ છે. હું તો ચેતનદ્રવ્ય હોવાથી જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણોથી પૂર્ણ છું. માટે બાધક, દુ:ખદાયી, ગુણોના આવારક એવા ધન-ધાન્યાદિ પરિગ્રહ રૂપ પુદ્ગલદ્રવ્યમાં કેમ ૨મું ? તે દ્રવ્યોમાં આનંદ કેમ પામું ? આવી ઊંચી ભાવના ભાવવા વડે આ મહાત્મા પરિગ્રહના ત્યાગી બને છે. જે જે મહાત્મા પરિગ્રહના ત્યાગી બને છે. તેમના ચરણકમલની ત્રણે લોકના જીવો ઉપાસના-સેવા કરે છે. ત્યાં અધોલોકવાસી ભવનપતિ, વ્યંતર એટલે કે અસુરદેવો, મધ્ય લોકવર્તી મનુષ્ય, તિર્યંચો અને જ્યોતિષ્ક દેવો તથા ઊર્ધ્વલોકવાસી વૈમાનિક દેવો અર્થાત્ સુરવર દેવો ત્યાગીના ચરણ-કમળમાં નમે છે. આ રીતે નિરિગ્રહી જીવ ત્રણે જગતને વંદનીય બને છે. માટે આત્માના સ્વરૂપમાં જ જે રસિક હોય છે તે મહાત્માઓને પરિગ્રહની આસક્તિ હોતી નથી. તેવા મહાત્માઓ દર્શનીય, વંદનીય અને પૂજનીય છે. ગા पुनः कञ्चिद् बाह्यत्यागेन निर्ग्रन्थत्वमानिनं शिक्षयति તથા બાહ્યત્યાગ માત્ર વડે પોતાને નિર્પ્રન્થ માનતા કેટલાક પુરુષો હોય છે. તેઓને (માત્ર વ્યવહારવાદીને) શિક્ષા આપતાં જણાવે છે કે -
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy