________________
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
परिग्रहग्रहावेशात्-परिग्रहस्य ग्रहः ममत्वं, तस्यावेशः, तस्मात् दुर्भाषितम्उत्सूत्रवचनमेव रजसः किरा:- समूहाः, अत एव विकृताः - विकारमया इति । एवं हि परिग्रहाभिलाषमग्ना ज्ञानपूजनाद्युपदेशेन परिग्रहमेलनासक्ताः उत्सूत्रं वदन्ति । पोषयन्ति विषयान् परिग्रहीकुर्वन्ति ज्ञानोपकरणानि, 'महान्तयन्ति ज्ञानोपकरणैः । उक्तञ्च उपमितिभवप्रपञ्चायाम्
વિવેચન :- પરિગ્રહ એટલે મમતા-મૂર્છા-આસક્તિ - આ મારું છે, આ મારું છે આવો મોહોદયવાળો આત્મપરિણામ, આવા પ્રકારનો પરિગ્રહ જે મુનિના મનમાં પ્રવેશેલો છે. અર્થાત્ તે પરિગ્રહ રૂપી ભૂત-પ્રેતનો પ્રવેશ જે મુનિમાં થયેલ છે. તે મુનિ સાધુપણાનું દ્રવ્યલિંગ ધારણ કરનારા બન્યા હોય તો પણ પરિગ્રહરૂપી ભૂત-પ્રેતના આવેશમાત્રથી આવા પ્રકારના પ્રલાપો-એટલે કે સાધુપણાને ન છાજે તેવા સંબંધ વિનાના મોહપોષક વચનોનો સમૂહ બોલતા હોય એવું શું નથી સંભળાતું ? અર્થાત્ વસ્તુઓની યાચનાવાળાં વચનોનો સમૂહ સંભળાય જ છે. આ મોહપોષક (મમતા-મૂર્છાને વધારનારા) વચનપ્રલાપો કેવા પ્રકારના હોય છે ? અને કયા કારણથી હોય છે ? તે સમજાવે છે.
જ્ઞાનમંજરી
-
૬૮૧
પરિગ્રહનું જે ભૂત છે તેનો પ્રવેશ થવાથી એટલે કે પરપદાર્થોની મમતા થવાથી દુર્ભાષિત વચનોનો સમૂહ અર્થાત્ જિનેશ્વર પરમાત્માના સૂત્રવિરુદ્ધ = ઉત્સૂત્ર એવાં વચનોના સમૂહરૂપી રજ ઉડતી શું નથી સંભળાતી ? અર્થાત્ સંભળાય જ છે. મુનિવેષધારી જીવોમાં પણ જ્યારે જ્યારે ૫૨૫દાર્થની મૂર્છા પ્રવેશ પામે છે ત્યારે ત્યારે તે તે વસ્તુ મેળવવાની તેમને ઈચ્છા થાય છે. વસ્તુઓ ધન વિના પ્રાપ્ય ન હોવાથી ધનનો સંગ્રહ કરવાની ઈચ્છા થાય છે તે કારણથી “તમે જ્ઞાનનું પૂજન કરો” ઈત્યાદિ ઉપદેશ આપવા દ્વારા જ્ઞાનપૂજન આદિ કાર્યો કરાવવા વડે પરિગ્રહને (ધનાદિને) મેળવવાની આસક્તિવાળા મુનિઓ આવા પ્રકારનાં વિકૃત વચનો બોલે છે. લોકો પાસેથી યેનકેન પ્રકારેણ ધનપ્રાપ્તિ થાય તેવાં, સાધુતાને ન છાજે તેવાં, યાચનાવાળાં વચનો મુનિઓ બોલતા હોય અને પરિગ્રહનો સંગ્રહ કરતા હોય એવું પરિગ્રહને પરવશ થયેલા મુનિઓમાં દેખાય છે.
મમતા-મૂર્છામાં આસક્ત બનેલા મુનિ-વેષધારી લોકો પણ જ્ઞાનપૂજન આદિ કાર્યો કરાવવા વડે સંસારી જીવો પાસેથી ધન મેળવવા દ્વારા પાંચે ઈન્દ્રિયોના વિષયોને પોષે છે. મનમાની વસ્તુ મેળવીને વિષયરસ પોષે છે. જ્ઞાનના કેટલાંક (બીનજરૂરી) ઉપકરણોનો પરિગ્રહ કરે છે. વિશિષ્ટ પેનો, પેન્સીલો, પુસ્તકો, ચંદરવા-પુંઠીયાં ઈત્યાદિ મેળવીને તેના જ ૧. અહીં “મહાન્ત ફ્લાચરનીતિ-મહત્યને” હોવું જોઈએ આચાર અર્થમાં ચતુર્