SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૨ શાસ્રાષ્ટક-૨૪ જ્ઞાનસાર થયો છતો ભૂતવાદી મુનિની હત્યા કરે છે અને ચરણસ્પર્શમાં પાપ માની તેનો નિષેધ કરે છે આ અવિવેક છે. મનમાન્યો અર્થ છે. નાના પાપનો નિષેધ છે અને મોટું પાપ આચરે છે. તેમ શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ સ્વેચ્છાચારી મુનિ પણ સ્વચ્છંદી હોવાથી “પોતાના આત્મતત્ત્વનો નાશ કરીને ષડ્જવનિકાયની રક્ષા કરે છે” આ મુનિ પણ ભૂતવાદી મુનિની હત્યા કરાવનાર ભીલરાજાની તુલ્ય આચરણ કરે છે. આ મોટી મૂઢતા માત્ર છે. આ કારણથી આવી મૂઢતા–અજ્ઞાનતા-મૂર્ખતા ત્યજી દઈને તત્ત્વજ્ઞાની બનવું જોઈએ. શુદ્ધ આહારાદિ ગ્રહણ કરવા તે તનુયોગ અર્થાત્ અલ્પયોગ છે નાનો યોગ છે. અથવા કાયિયોગ છે. આજ્ઞા પાળવી, આત્મસ્વરૂપનું આલંબન લેવું તે મોટો અનુયોગ છે. અર્થાત્ માનસિક યોગ છે, આત્મયોગ છે. તથા આહારશુદ્ધિ એ બાહ્યશુદ્ધિ છે અને આજ્ઞાપાલન એ અત્યંતર શુદ્ધિ છે. આવો વિવેક કરવો જોઈએ. તેથી આત્મસ્વરૂપનું આલંબન લઈને પરમાત્માની આજ્ઞા પ્રમાણે શુદ્ધ આત્મતત્ત્વના આચરણવાળા બનવું જોઈએ. આવા પ્રકારની આજ્ઞાનું પાલન કર્યા વિના શુદ્ધ આહાર અને કેશલોચાદિ બાહ્ય સાધન માત્રથી આત્મતત્ત્વની સિદ્ધિ થઈ જશે એવી બુદ્ધિવાળા જીવો ભૂતવાદી મુનિની હિંસા કરનારા ભીલરાજાની જેમ મૂર્ખ-અજ્ઞાની અને અવિવેકી જાણવા. બાહ્યક્રિયાશુદ્ધિ કરતાં પરમાત્માની આજ્ઞાપાલન રૂપ અંતરંગશુદ્ધિ ઘણી મહાન છે. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.શ્રીએ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં કહ્યું છે કે - બાહ્યક્રિયા છઈ બાહિરયોગ, અંતરક્રિયા દ્રવ્ય અનુયોગ । બાહ્યહીન પણ જ્ઞાનવિશાલ, ભલો કહિઓ મુનિ ઉપદેશમાલ ॥ IIઢાલ-૧, ગાથા-પા अज्ञानाहिमहामन्त्रं, स्वाच्छन्द्यज्वरलङ्घनम् । धर्मारामसुधाकुल्यां, शास्त्रमाहुर्महर्षयः ॥७॥ ॥૬॥ ગાથાર્થ :- અજ્ઞાનરૂપી સર્પનું વિષ ઉતારવામાં મહામન્ત્ર સમાન, સ્વચ્છંદતા રૂપી જ્વરને ઉતારવામાં લાંઘણ સમાન અને ધર્મરૂપી બગીચાને (ઉદ્યાનને) લીલુંછમ રાખવામાં અમૃતની નીક સમાન “શાસ્ત્ર” છે એમ મહર્ષિ પુરુષો કહે છે. IIII ટીકા :- ‘‘અજ્ઞાનાહ્વીતિ’’ મર્ષય:-મહામુનીશ્રા:, અજ્ઞાનમેવ અત્તિ:-સર્પ:, તદ્દમને મહામન્ત્રમ્, ચ-પુન:, સ્વાઘ્ધાં-સ્વેચ્છાચારિત્વ, તહેવ જ્વર:, તપમાય તઙ્ગન -
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy