________________
૬૫૦ લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
જ્ઞાનસાર થોડા આર્ય અનાર્યજનથી, જૈન આર્યમાં થોડા રે.. તેહમાં પણ પરિણતજન થોડા, શ્રમણ અલ્પ બહુ મુંડા રે ll I૪ો. श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे न च । स्तोका हि रत्नवणिजः, स्तोकाश्च स्वात्मसाधकाः ॥५॥
ગાથાર્થ - લોકસંબંધી કલ્યાણના ભૌતિક સુખના) અર્થી જીવો બહુ હોય છે. પરંતુ લોકોત્તર સંબંધી સુખના અર્થી જીવો (આત્મીય સુખના અર્થી જીવો) હંમેશાં થોડા જ હોય છે. રત્નના વેપારી જેમ થોડા જ હોય છે તેમ પોતાના આત્મતત્ત્વની સાધના કરનારા જીવો હંમેશાં થોડા જ હોય છે. પા
ટીકા - “શ્રેયોર્થિનો દિ મૂર્યાસ: તિ” નો-તોwવાદે (વીપ્રવા) श्रेयोऽर्थिनः-धनस्वजनभुवनवनतनुकल्याणार्थिनः भूयांसः-प्रचुराः सन्ति । च पुनः लोकोत्तरे-अमूर्तात्मस्वभावाविर्भावलक्षणे प्रवर्तमानाः न-नैवेति । हीति-निश्चितम्, रत्नवणिजः स्तोकाः । तथा च-पुनः स्वात्मसाधका:-स्व आत्मा, तस्य साधकाःनिरावरणत्व-निष्पादकाः स्तोका इति ॥५॥
વિવેચન :-સુખ બે જાતનાં છે - એક લૌકિક અને બીજું લોકોત્તર. જો કે લૌકિક સુખ એ સુખ નથી, સુખાભાસ માત્ર જ છે. છતાં મોહાલ્વ જીવો તેને સુખ માને છે. આવા પ્રકારનું લોકપ્રવાહમાં મનાતું સુખાભાસ રૂપ જે સુખ છે તે ધનસંબંધી, સ્વજનસંબંધી, ભુવન (બાંધેલા મકાન-વાસ્તુ) સંબંધી, વન (ખુલ્લી ભૂમિ-ક્ષેત્ર) સંબંધી અને શરીરસંબંધી જે સુખ છે તે સુખને ઈચ્છનારા, તે સુખ માટે નિરંતર પ્રયત્ન કરનારા, તે સુખ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારનાં દુઃખો સહન કરનારા જીવો આ સંસારમાં પ્રચુર પ્રમાણમાં અર્થાત્ બહુ જ પ્રમાણમાં હોય છે. મોટાન્ય જીવોની સંખ્યા સદાકાલ અધિક જ હોય છે.
પરંતુ લોકોત્તર સુખ પ્રાપ્ત કરવામાં પ્રવર્તનારા જીવો પ્રચુર હોતા નથી, સદાકાલ થોડા જ હોય છે. અમૂર્ત એવા આત્માનું રત્નત્રયીમય શુદ્ધ જે સ્વરૂપ છે તેનો આવિર્ભાવ કરવો અર્થાત્ તે રત્નત્રયીમય શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવામાં પ્રયત્ન કરનારા જીવો સદા અલ્પ જ હોય છે. અધિક પ્રમાણમાં સંભવતા નથી. મોહનો ક્ષય કરવાનું ઈચ્છનારા અને તે ક્ષય કરવામાં પ્રવર્તમાન જીવો સદા અલ્પ જ હોય છે.
આ સંસારમાં જેમ કરીયાણાના અને કાપડના વેપારી ઘણા જ હોય છે. પરંતુ રત્નના વેપારીઓ (ઝવેરીઓ) અલ્પ જ હોય છે. તેવી જ રીતે સાંસારિક સુખ-પૌગલિક સુખ