________________
૬૪૪
જ્ઞાનસાર
લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩ (૨) સંગ્રહનય - લોકસંજ્ઞાના કારણભૂત સુખશયા વગેરે જે સાધનો છે તે સંગ્રહાયથી
લોકસંજ્ઞા છે.
વ્યવહારનય :- સાધનોમાં કરાતી પ્રવૃત્તિ તે વ્યવહારનયથી લોકસંજ્ઞા છે. (૪) જુસૂત્રનય :- ઉક્ત પ્રવૃત્તિ કરતા આત્માનો જે અધ્યવસાય તે ઋજુસૂત્રનયથી
લોકસંજ્ઞા છે. (૫) શબ્દનય :- લોકસંજ્ઞાપરિણત ચેતના પરિણામ એ શબ્દનયથી લોકસંજ્ઞા છે. (૬) સમભિરૂઢનય - ઉક્ત પરિણામમાં આત્માની સ્થિરતા તે સમભિરૂઢનયથી
લોકસંજ્ઞા છે. (૭) એવંભૂતનય :- ઉક્ત પરિણામમાં તાદાસ્યથી પરિણત આત્મા તે એવભૂતનયથી
લોકસંજ્ઞા જાણવી. प्राप्तः षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलङ्घनम् । लोकसज्ञारतो न स्याद् मुनिर्लोकोत्तरस्थितिः ॥१॥
ગાથાર્થ :- સંસાર રૂપી વિષમ પર્વતનું ઉલ્લંઘન કરવા રૂપ એવું છઠું ગુણસ્થાનક પામેલા અને લોકોત્તર મર્યાદામાં રહેલા મુનિ “લોકોએ કર્યું તે કરવું, પણ શાસ્ત્રાર્થ ન વિચારવો” આવા પ્રકારની લોકસંજ્ઞામાં પ્રીતિવાળા બનતા નથી. તેના
ટીકા :- “પ્રાપ્ત તિ” મુનિ -સંયમી આશ્રર્વવરત:, પછં-સર્વવિરતિન્નક્ષ प्रमत्ताख्यं (गुणस्थानं) प्राप्तः मुनिः लोकसंज्ञा-लोकैः कृतं तत् कर्तव्यं गतानुगतिकतानीतिस्तत्र रत:-रागी गृहीतग्रहः न स्यात् । लोकैः कृतं तदेव करणीयमिति मतिं निवार्य आत्मसाधनोपायरतः स्यात् । किम्भूतं षष्ठं गुणस्थानम् ? भवः-संसारः स एव दुर्गाद्रिः-विषमपर्वतः, तस्य लङ्घनम् । किंविशिष्टो मुनिः ? लोकोत्तरस्थिति:लोकातीतमर्यादया स्थितः । लोको हि विषयाभिलाषी, मुनिर्निष्कामः । लोकः पुद्गलसम्पज्ज्येष्ठत्वमानी मुनिर्ज्ञानादिसम्पदा श्रेष्ठः । अतः किल किं लोकसञ्जया તેષામ્ ? એ
વિવેચન - સંસારના સર્વથા ત્યાગી બનેલા મુનિ-મહાત્મા લોકસંજ્ઞામાં આસક્ત બનતા નથી. જે મુનિ-મહારાજા સંયમી બનેલા છે સર્વ પ્રકારના આશ્રવોથી જે વિરમેલા છે,