SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧ પ્રત્યક્ષરૂપે કરાયેલું જ્ઞાનાવરણીય વગેરે કર્મ, પ્રત્યેક પ્રાણીઓમાં પ્રસિદ્ધ (અનુભવસિદ્ધ) એવા સુખ-દુઃખનું કારણ છે. સુખ-દુઃખ એ કાર્ય હોવાથી તેનું કોઈક કારણ હોવું જોઈએ. જેમ અંકુરા એ કાર્ય હોવાથી તેનું કારણ બીજ હોય છે તેમ અહીં સુખ-દુઃખનું જે કારણ છે તે કર્મ જ છે. આમ જાણવું. આ રીતે કર્મ એ સર્વજ્ઞને સાક્ષાત્ પ્રત્યક્ષ અને અન્યને કથંચિત્ પ્રત્યક્ષ છે. नन्विति स्याद् मतिः-स्रक्चन्दनाङ्गनाविषकण्टकादय इति दृष्ट एव सुखदुःखयोर्हेतुरस्ति, किमदृष्टस्य कर्मणः तद्धेतुत्वकल्पनेन ? तदयुक्तम्, व्यभिचारात् । इह यस्तुल्यसाधनयोरिष्टशब्दादिविषयसुखसाधनसमेतयोरनिष्टार्थसाधनसम्प्रयुक्तयोश्च बहूनां वा फले सुखदुःखानुभवलक्षणविशेषस्तारतम्यरूपो दृश्यते, नासौ अदृष्टहेतुमन्तरेणोपपद्यते । अनुमानान्तरं श्रीविशेषावश्यके - ૫૯૭ किरियाफलभावाओ, दाणाईणं फलं किसीएव्व । तं च दाणाइफलं, मणप्पसायाइ जइ बुद्धी ॥१६१५॥ किरियासामन्नाओ, जं फलमस्सावि तं मयं कम्मं । तस्स परिणामरूवं, सुहदुक्खफलं जओ भुज्जो ॥१६१६॥ इत्यादि अग्निभूतिवादस्थले ज्ञेयम् ॥ “પ્રત્યેક પ્રાણીમાં પ્રસિદ્ધ એવા સુખ અને દુઃખમાં જે હેતુ છે તે જ કર્મ છે” આ વિષયમાં તદ્વિતિ = “તે કર્મ છે” એ બાબતમાં તને કદાચ આવી મતિ થાય (તને કદાચ આવો પ્રશ્ન થાય) કે પ્રત્યેક પ્રાણીઓને પ્રત્યક્ષપણે જે સુખ-દુઃખ અનુભવાય છે તેમાં પ્રત્યક્ષ દેખાતી એવી સ્રમ્ (પુષ્પમાલા), ચંદન અને અંગના (સ્ત્રી) આ સુખમાં કારણ, અને વિષ, કંટક આદિ દુઃખનાં કારણ છે. આમ ધૃ વ = પ્રત્યક્ષપણે નજરે દેખાતી સ્થૂલ એવી દૃશ્યવસ્તુઓને જ સુખ-દુઃખનું કારણ માની લઈએ તો શું ખોટું છે ? તે જ કારણ છે આમ માનો, અદૃષ્ટ = ન દેખાતા અને સૂક્ષ્મ એવા કર્મને તે સુખદુઃખનું કારણ માનવાની શી જરૂર ? જ્યાં સુધી દશ્યકારણ સંભવતું હોય ત્યાં સુધી અદૃશ્યકારણ માનવાની શું જરૂર? માટે સ્ર-ચંદનાદિ સુખનાં કારણ અને વિષ-કંટકાદિ દુઃખનાં કારણ છે. આમ જ માનો, અદૃશ્ય એવું કર્મ કારણ છે આવું માનવાની જરૂર નથી. આવો પ્રશ્ન હે જિજ્ઞાસુ જીવ ! કદાચ તને થાય, તો તે પ્રશ્ન અયુક્ત છે. યોગ્ય નથી, કારણ કે તેમાં વ્યભિચારદોષ આવે છે. સુખનાં સાધનો સમાન હોય એવા બે જીવોમાં
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy