SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦ ભવોદ્વેગઅષ્ટક – ૨૨ ॥ अथ द्वाविंशतितमं भवोद्वेगाष्टकम् ॥ જ્ઞાનસાર कर्मविपाकोद्विग्नभावात् संसाराद् उद्विजति । अतो भवोद्वेगाष्टकं लिख्यते । तत्र नामभवः रुद्रादिः । अथवा तन्नाम शब्दालापरूपः, स्थापनाभवः लोकाकाश: तदाकारो वा । द्रव्यभवः भ्रवभ्रमणे हेतुरूपः धनस्वजनादिः । भावभवः चतुर्गतिरूपः जन्ममरणादिलक्षणः । नयस्वरूपं च द्रव्यनिक्षेपे यावत् नयचतुष्टयम्, भावनिक्षेपे शब्दादिनयत्रयं ज्ञेयम् । એકવીશમું કર્મવિપાકચિંતનાષ્ટક સમજાવ્યું, પૂર્વે બાંધેલ પુણ્ય-પાપના ઉદયથી જીવને સુખ-દુઃખ આવે છે. સાંસારિક સુખ-દુઃખ એ જીવનું પોતાનું અસલી સ્વરૂપ નથી, તેથી કર્મોના વિપાકોદયમાં આ જીવ ઉદ્વેગવાળો બને છે અને આ રીતે કર્મોના વિપાકોમાં ઉદ્વેગ ભાવવાળો બનવાથી તજ્જન્ય એવા સંસારથી પણ ઉદ્વેગવાળો આ જીવ બને છે. આ કારણથી હવે “ભવોદ્વેગ” નામનું અષ્ટક લખાય છે. ભવોદ્વેગ એટલે સાંસારિક ભાવોથી ઉદ્વેગી બનવું. ત્યાં સર્વે જીવો સદા સુખપ્રિય હોવાથી દુઃખોથી તો ઉદ્વેગી હોય જ છે. પરંતુ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલાં સાનુકૂળ સુખનાં સાધનો એ પણ આ આત્મા માટે બંધન હોવાથી તેનાથી ઉદ્વેગી બનવું તે ભવોદ્વેગ. સાંસારિક સુખ ઉપરથી મન ઉઠાવી લેવું તે ભવોદ્વેગ સમજવો. ત્યાં પ્રથમ ચાર નિક્ષેપ સમજાવાય છે. રુદ્ર એટલે મહાદેવ-શંકર, શંકરનું પર્યાયવાચી નામ ભવ છે. માટે શંકર તે નામભવ કહેવાય છે. “ભવ” એવું કોઇનું પણ સાંસારિક જન્મકાલથી નામ કરાય તે નામભવ છે. અથવા તે તે નામનું શબ્દાત્મકપણે જે ઉચ્ચારણ કરવું તે નામભવ સમજવો. ચૌદરાજલોક પ્રમાણવાળા લોકાકાશમાં સર્વે જીવો જન્મમરણ કરે છે. સર્વે જીવોના ભવો લોકાકાશમાં જ થાય છે. અલોકમાં કોઈપણ જીવનું જન્મ-મરણ થતું નથી. માટે લોકાકાશ અથવા લોકાકાશનો આકાર તે સ્થાપનાભવ. અથવા કોઈપણ ભવને પામેલા જીવની આકૃતિ દોરવી તે અથવા લોકાકાશની આકૃતિ દોરવી તે સ્થાપના ભવ સમજવો. સંસારના પરિભ્રમણમાં હેતુભૂત એવો ધન-સ્વજન આદિ પદાર્થસમૂહ તે દ્રવ્યભવ. અહીં કારણને દ્રવ્ય કહેવાય એ ન્યાયને અનુસરીને ધન, સ્વજનો, સોનું, રૂપું, હીરા, માણેક, ઘર, મિલકત વગેરે સાંસારિક સઘળા પણ પદાર્થો આ જીવને મમતા-મૂર્છા કરાવવા દ્વારા જન્મ-મરણરૂપ સંસારના પરિભ્રમણમાં હેતુ બને છે. તેથી કારણભૂત એવા તે પદાર્થોને જ
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy