________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૬૧૫
ઋણ (દેવું) થોડું હોય તો પણ, પગમાં લાગેલો ઘા થોડો હોય તો પણ, આગ થોડી લાગેલી હોય તો પણ, કષાયો થોડા હોય તો પણ તમારે તેનો વિશ્વાસ કરવો નહીં, કારણ કે તે થોડું હોય તો પણ દિન-પ્રતિદિન વધીને ઘણું જ થાય છે. (૧૨૦)
ઋણ (દેવું) દાસપણાને આપે છે. ત્રણ એટલે ઘા ફેલાતો ફેલાતો જલ્દી મરણને આપે છે. અગ્નિ વધતો વધતો આખા ઘરને બાળી નાખે છે અને કષાયો વધતા વધતા અનંત ભવમાં ભ્રમણ આપે છે અર્થાત્ અનંત સંસારમાં ભટકાવે છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૩૧૧)
આ પ્રમાણે વિચાર કરતાં કર્મોના ઉદયથી આ જીવ દીન બને છે, લાચાર બને છે, પરાધીન બને છે. માટે કર્મોના ઉદયનો વિપાક આવું કષ્ટ આપનાર છે. પા
अर्वाक् सर्वाऽपि सामग्री, श्रान्तैव परितिष्ठति । વિષા: ર્મળ: જાર્ય-પર્યન્તમનુધાવતિ દ્દા
ગાથાર્થ :- પુણ્ય-પાપનો ઉદયકાલ આવે ત્યારે ધન-ધાન્ય, ગાડી-વાડી આદિ સર્વે પણ સામગ્રી જાણે થાકી ગઈ હોય તેમ આગળ ઉભી જ રહે છે (કંઈ કરી શકતી નથી). ફક્ત પોતાનો ઉદયમાં આવેલ કર્મોનો વિપાક જ ફળ આપે ત્યાં સુધી જીવની પાછળ પાછળ જાય છે. IIII
ટીકા :- ‘“અર્વાક્ સર્વેતિ' સર્વાષિ સામગ્રી અર્વા શ્રાના ધ્રુવ પરિતિષ્ઠતિ, न हि कार्यकरणसमर्था । कर्मणः विपाकः - उदयः कार्यपर्यन्तं चरमकारणमनुधावतिअनुवर्तते । तो बाह्यसामग्री उपकरणरूपा हि कर्मोदयाश्रिता, तेन कर्मोदयो बलवत्तरः, अतः कर्मक्षयाय यतितव्यमिति ॥६॥
વિવેચન :- માણસની પાસે ધન-ધાન્ય બંગલો ગાડી સત્તા વગેરે બાહ્ય ભોગ સામગ્રી જ્યારે હોય છે ત્યારે તે મનુષ્ય અભિમાન કરતો હોય છે. મારી પાસે બધું જ છે. હવે મારે કોઈની જરૂર નથી. મારે કોઈથી દબાવાની જરૂર નથી. આમ મનમાં અભિમાન રાખીને પાવરપૂર્વક ગજ ગજ છાતી કાઢીને ફરતો હોય છે. આખી દુનિયાને ધ્રુજાવતો હોય છે. પરંતુ આ સર્વે પણ ભોગ સામગ્રી (સંસારીસુખના ઉપકરણ રૂપ સામગ્રી) જાણે આ જીવને બચાવવામાં થાકી ગઈ હોય શું ? એ રીતે ઉભી જ રહે છે. ટગમગ-ટગમગ જોયા જ કરે છે. જીવનું સંરક્ષણ કરવા રૂપ કાર્ય કરવાને તે સામગ્રી સમર્થ બનતી નથી.
સાત માળની હવેલી કરાવી હોય, લાખોની કિંમતના હીરાના હાર કરાવ્યા હોય,