________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક- ૩૦
૭૮૧ પ્રથમ માણસની જેમ આનંદ જ હોય છે, પણ બેંકનું આવરણ છે એવું દુઃખ ક્યારેય થતું નથી. તેમ યોગી મહાત્માને પોતાનો આત્મા વીતરાગ તુલ્ય સત્તાથી જણાય છે. કંઈ કમીના જણાતી નથી પછી દુઃખ શાનું? વીતરાગ પરમાત્માએ પોતાનું સ્વરૂપ ખોલ્યું છેઆપણે હવે ખોલવાનું છે. એમ સમજીને યોગી સદાકાલ પોતાના આત્માને વીતરાગ પરમાત્માની સાથે તુલ્યતા રૂપે જોતા અને જાણતા છતા તથા ખોલવાનો પ્રયત્ન કરતા છતા ક્યારેય દુઃખ પામતા નથી. સ્વરૂપ ન હોત તો દુઃખ થાત પણ સ્વરૂપ તો છે જ. પછી દુઃખ શાનું? આજે નહીં તો કાલે પણ તે સ્વરૂપ ખુલશે, છે તો અવશ્ય, કાલાન્તરે ખુલશે. માટે અફસોસ કરવાની કંઈ જરૂર નથી.
પ્રવચનસાર નામના ગ્રંથમાં કહ્યું છે કે –
જે મનુષ્ય અરિહંત પરમાત્માને શુદ્ધ દ્રવ્ય તરીકે, અનંત ગુણમય તરીકે અને અનંતાનંત શુદ્ધ પર્યાય તરીકે જાણે છે, ઓળખે છે તે મનુષ્ય પોતાના આત્માને પણ તેવો જ છે એમ જાણીને તેવું સ્વરૂપ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે, તેથી તેનો મોહ નાશ પામે છે.” (ગાથા ૮૦)
અહીં ધ્યાતા અર્થાતુ ધ્યાન કરનાર યોગમુનિનો આત્મા સમજવો. ધ્યેય આત્મામાં જ રહેલું પરમાત્મપણું સમજવું અને ધ્યાન એટલે સ્વરૂપ મેળવવામાં જે એકાગ્રતા છે તે જાણવી. આ ત્રણેની જે અભેદતા છે આ ત્રણેની જે એકમેકતા છે તે મોહના ક્ષયને માટે થાય છે. આ ધ્યાતા આત્મા પોતાના આત્માને પરમાત્માની તુલ્ય જેમ જેમ જાણે છે અને તે સ્વરૂપની જેમ જેમ લગની લાગે છે તેમ તેમ તે તરફનો પ્રયત્ન આદરતાં મોહનો ક્ષય થાય છે અને અલ્પકાલમાં જ આ આત્મા પરમાત્મા બને છે. |૧|
ध्यातान्तरात्मा ध्येयस्तु, परमात्मा प्रकीर्तितः । ध्यानं चैकाग्र्यसंवित्तिः, समापत्तिस्तदेकता ॥२॥
ગાથાર્થ :- અત્તરાત્મભાવને પામેલો આત્મા એ ધ્યાતા છે. પરમાત્મા એ ધ્યેય છે અને તે બન્નેની એકતાની જે ધારા તે ધ્યાન જાણવું. આ ત્રણેની એકતા એ સમાપત્તિ કહેવાય છે. રા.
ટીકા - “ધ્યાતિ” થાતૃસ્વરૂપે જોવાં શ્રીદેવસૂરિપૂઃअमुञ्चन् प्राणनाशेऽपि, संयमैकधूरीणताम् । परमप्यात्मवत्पश्यन्, स्वस्वरूपापरिच्युतः ॥२॥