SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩૦ ૭૭૯ બીજા અર્થવાળું એમ એકે અર્થવાળું ધ્યાન હોતું નથી. તેથી ત્યાં ધ્યાનાન્સરિકા દશા કહેવાય છે. અર્થાત્ ધ્યાનનો વિરહકાલ છે. (૧) ૧ થી ૧૨ ગુણસ્થાનવાળા છવસ્થ જીવો માટે ચિત્તની સ્થિરતા-ચિત્તની એકાગ્રતા તે ધ્યાન કહેવાય છે. (૨) તેરમા ગુણસ્થાનકના પ્રથમસમયથી યોગનિરોધના પૂર્વકાલ સુધી ધ્યાનાન્સરિકાદશા -ધ્યાનનો વિરહકાલ હોય છે. તેરમાના છેડે યોગનો નિરોધ-મન, વચન, કાયાના યોગનું અટકાવવું તે ધ્યાન તથા ચૌદમા ગુણઠાણે સર્વથા યોગનો વિચ્છેદ થવો તે ધ્યાન હોય છે. અર્થાત્ આત્મપ્રદેશોની સ્થિરતા રૂપ ધ્યાન હોય છે શુક્લધ્યાનના ત્રીજા-ચોથા પાયારૂપ ધ્યાન હોય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પણ “ઉત્તમસંહનચૈomવિજ્ઞાનિરોથો ધ્યાનમ્” ૯-૨૭ આ પ્રમાણે જ કહ્યું છે. આ સ્થાન ઉપર નામ-સ્થાપનાદિ ચાર નિક્ષેપા તથા સાત નો પૂર્વની જેમ સ્વયં સમજી લેવા. ધ્યાન એવું કોઈનું નામ રખાય તે નામ-નિક્ષેપે ધ્યાન, ધ્યાનસ્થ મુનિનું ચિત્ર આલેખાય અથવા “ધ્યાન” આવું જ લખાય તે સ્થાપના-નિક્ષેપે ધ્યાન, ઉપયોગની શૂન્યતાએ ધ્યાન તે દ્રવ્યથાન અને ઉપયોગપૂર્વકનું ધ્યાન તે ભાવધાન. ધ્યાન ઉપર સાત નો આ પ્રમાણે છે . (૧) ચિત્તની એકાગ્રતા માટેનો મનમાં સંકલ્પ માત્ર કરવો તે નૈગમનયથી ધ્યાન. (૨) વિક્ષેપ આદિથી રહિત મન, એકાન્ત, નિબંધ કાયા આદિ સામગ્રી તે સંગ્રહાયથી ધ્યાન. (૩) ચિત્તની એકાગ્રતા તે વ્યવહારનયથી ધ્યાન. (૪) ચિત્તની એકાગ્રતામાં આત્માનો ઉપયોગ તે ઋજુસૂત્રનયથી ધ્યાન. (૫) ચિત્તની એકાગ્રતા દ્વારા આત્માના ગુણોની અનુભૂતિ થવી તે શબ્દનયથી ધ્યાન. (૬) શુક્લધ્યાનની યોગ્યતા ધરાવતો આત્મા જે પ્રતિસમયે વિશુદ્ધતર ચિતૈકાશ્ય રાખે તે સમભિરૂઢનયથી ધ્યાન. (૭) શુક્લધ્યાનમાં પરિણત સર્વોત્કૃષ્ટ ચિત્ત-એકાગ્રતા એ એવંભૂતનયથી ધ્યાન કહેવાય
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy