SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૪ ભાવપૂજાષ્ટક - ૨૯ જ્ઞાનસાર આશયવાળો એવો તું ભક્તિ અને શ્રદ્ધા ગુણ રૂપી કેસરથી મિશ્રિત ચંદનના રસ વડે શુદ્ધ એવા પોતાના જ આત્મા રૂપી પરમાત્માની બ્રહ્મચર્યની નવ વાડ ધારણ કરવા રૂપે નવ અંગે પૂજા કર. ॥૧-૨॥ ટીકા :- ‘‘વામ્ભમા કૃતિ’’ ‘“મવિસ્તશ્રદ્ધાનેતિ’’ શ્લોયસ્ય યુગ્મતો વ્યાજ્ઞાન दर्शयति, हे उत्तम ! एवंविधं शुद्धात्मानं अनन्तज्ञानादिपर्यायं आत्मरूपं देवं, "नव" इति नवप्रकारब्रह्मरूपाङ्गतः अर्चय- -પૂનય | વિવેચન :- વ્યામ્મસા પદવાળા અને ભક્તિશ્રદ્ધાન પદવાળા એમ બન્ને શ્લોકોની એકીસાથે વ્યાખ્યા સમજાવાય છે. કારણ કે બન્ને શ્લોકોનો પરસ્પર સંબંધ છે. તેથી સાથે વ્યાખ્યા લખાય છે. હે ઉત્તમ જીવ ! તું તારા પોતાના આત્મારૂપી પરમાત્માની (દેવની) પૂજા કર, તારો પોતાનો આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, વીતરાગસ્વરૂપી છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યાદિ ગુણપર્યાયવાળો છે. તેની તું પૂજા કર, નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડ પાળવા રૂપે વિભાવદશામાંથી નીકળીને સ્વભાવદશામાં આવવા રૂપે તારા આત્માની પૂજા કર. હે ઉત્તમ જીવ ! તારો પોતાનો આત્મા જ પરમાત્મા છે, અનંત ગુણોનો સ્વામી છે. તેને બરાબર ઓળખ. તારું અનંત સ્વરૂપ તારામાં જ છે. બહાર ક્યાંય નથી. માટે પરદ્રવ્યમાં પ્રીતિ કરવાને બદલે સ્વદ્રવ્યમાં જ પ્રીતિ કર, વિભાવદશાને ત્યજીને સ્વભાવદશામાં આવ. બ્રહ્મચર્યની નવ વાડો એ સ્વભાવદશાની પ્રાપ્તિના ઉપાયો છે. માટે તે બ્રહ્મચર્યની નવ વાડો પાળવા રૂપ ઉપાયો દ્વારા તું તારા પોતાના આત્મા રૂપી પરમાત્માને પૂજ. રૂપ, , कीदृशो भूत्वा ? इत्याह दया- द्रव्यभावस्वपरप्राणरक्षणारूपा, सा एव अम्भ:जलं पानीयं, तेन कृतं स्नानं - पावित्र्यं येन सः । संतोषः- पुद्गलभावपिपासाशोकाभावते एव शुभानि वस्त्राणि तेषां भृत्-धारकः । विवेकः - स्वपरविभजनरूपं ज्ञानं, તદેવ તિ, તેન પ્રાની-શોમમાન:। પુન: ચભૂત: ? ભાવના-અહંનુૌવરૂપા, तया पावन:- पवित्रः आशयः अभिप्रायः यस्य सः । पुनः भक्तिः - आराध्यता, श्रद्धाप्रतीति:, "एस अट्ठे परमट्ठे" एवंरूपा, (तद्रूपेण) घुसृणेन उन्मिश्रं पाटीरजं, तस्य द्रवाः, तैः, शुद्धात्मा-परमेश्वरः, स्वकीयात्मापि दीव्यति स्वरूपे इति देवस्तं अर्चयपूजय तद्भक्तिरतो भव इति ॥१-२॥ વિવેચન :- હે ઉત્તમ જીવ ! તારે કેવા પ્રકારના થઈને આ આત્માની પૂજા કરવી જોઈએ ? આવી તને કદાચ શંકા થાય તો તેનો ઉત્તર હું આપું છું કે તારે આવા પ્રકારના ગુણીયલ બનીને તારા પોતાના આત્મા રૂપ પરમાત્માની પૂજા કરવી જોઈએ -
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy