________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૫૧ છે તેવા શ્રાવક-શ્રાવિકાને માટે વીતરાગ પરમાત્માની દ્રવ્યપૂજા આદિ કાર્ય કરવું તે પરમ ઉત્કૃષ્ટ બ્રહ્મયજ્ઞ છે આમ જાણવું. કારણ કે અંતે પ્રાપ્ત કરવા લાયક તો સંવર જ છે. પરંતુ
જ્યાં સુધી સંવરધર્મની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આશ્રવોની પરાવૃત્તિ કરવી એટલે કે અશુભ આશ્રવમાં જે વર્તે છે તેને બદલે શુભ આશ્રવમાં જોડાવું, અપ્રશસ્તતામાંથી પ્રશસ્તતા કરવી એ પણ યોગ્ય જ છે. જ્યાં સુધી સર્વવિરતિધર્મ ન આવે અને સર્વથા આશ્રવો ન અટકે ત્યાં સુધી અશુભઆશ્રયોને અટકાવવા માટે પણ ઉપાયરૂપે શુભ આશ્રવોનું સેવન કરવું તે હિત કરનારું છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મ.શ્રીએ પંચવસ્તુ પ્રકરણમાં ગાથા ૧૨૨૪ માં કહ્યું છે કે –
“સર્વથા આશ્રવોનો ત્યાગ નહીં કરીને પ્રવૃત્તિ કરનારા એવા સંયમસંયમ વાળા શ્રાવક-શ્રાવિકા જીવોને તેમનો પોતાનો સંસાર અત્યન્ત પાતળો કરવા માટે આ દ્રવ્ય સ્તવ કૂપના દેખાજો બરાબર યોગ્ય જ છે.”
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પણ ૧૫૦ ગાથાના સ્તવનમાં ઢાળ ચોથી, ગાથા ૮-૯-૧૦ માં કહ્યું છે કે -
પ્રથમ બંધ ને પછી નિર્જરા, કુપતણો રે દિદંત | કહી કોઈ જોડે બુધ ભાખે, ભાવ તે શુચિજલ તંત //૪-૮ ઉપાદાનવશ બંધન કહીયું, તસ હિંસા શિર ઉપચાર | પુષ્પાદિક આરંભતણો ઈમ, હોય ભાવે પરિહાર I૪-૯ જલ તરતાં જલ ઉપર મુનિને, જિમ કરુણાનો રે રંગ ! પુષ્પાદિક ઉપર શ્રાવકને, તિમ પૂજામાંહે ચંગ ૪-૧oll તથા સવાસો ગાથાના સ્તવનમાં પણ કહ્યું છે કે - આરંભાદિક શંકા ધરી, જો જિનરાજ ભક્તિ પરિહરી . દાન માન વંદન આદેશ, તો તુજ સઘળો પડ્યો ક્લેશ ૮-૬l જલ તરતાં જલ ઉપર યથા, મુનિને દયા ન હોએ વૃથા | પુષ્પાદિક ઉપર તિમ જાણ, પુષ્પાદિક પૂજાને ઠાણ. ૮-૯ો.
વીતરાગ પરમાત્માની પૂજા કરવામાં એકેન્દ્રિય જીવોની હિંસા તથા પરમાત્મા પ્રત્યેનો રાગ જો કે છે જ, તો પણ જ્યાં સુધી સર્વ આશ્રવો છુટ્યા નથી ત્યાં સુધી અશુભ આશ્રયોને બદલે શુભ આશ્રવોનું સેવન કરવું તે હિતકારી છે. તથા સંસારી ભાવોનો રાગ જ્યાં સુધી