________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
७४७ ગુણોની પ્રાપ્તિ, ગુણોનું સંરક્ષણ અને ગુણોની વૃદ્ધિ કરવા રૂપે વીર્યને નિરંતર પ્રવર્તાવવું એનું નામ યાગ અને તેવા પ્રકારનો ત્યાગ કરવા દ્વારા આત્માર્થી મુમુક્ષુ મુનિ મહારાજા નિયાગને (મુક્તિમાર્ગને) પામનારા બને છે. સાચો આ જ મુક્તિમાર્ગ છે. પશુવધવાળો યજ્ઞ એ મુક્તિમાર્ગ નથી. તત્ત્વજ્ઞ આત્માઓએ આ વિષય વિચારવો. ૧||
पापध्वंसिनि निष्कामे, ज्ञानयज्ञे रतो मुनिः । સાવ કર્મય: વુિં ?, મૂતિમનવિનૈઃ સારા
ગાથાર્થ - પાપોનો ધ્વંસ કરનારા અને સાંસારિક સુખની કામના વિનાના જ્ઞાનયજ્ઞમાં મુનિએ લીન થવું જોઈએ. સાંસારિક સુખની કામના વડે અત્યન્ત મલીન અને સાવદ્ય (પાપકર્મવાળા) એવા અને કર્મ બંધાવનારા યજ્ઞો વડે તે મુનિને શું ? અર્થાત્ મુનિ તેવા સાવધ યજ્ઞો કરતા નથી. કેરા
ટીકા :- “પપધ્ધસિનીતિ''નો વક્ષ ! નિણામે-સર્વપરાવામિનારહિત, पापध्वंसिनि-पापकर्मविनाशके आत्मस्वरूपे ज्ञानं-स्वपरावभासकं तद्पे यज्ञे रतो भव-तन्मयो भव, किं भूतिकामनया-इहलोकसुखेच्छया ? सावधैः-पापसहितैः आविलैः-म्लानैः यज्ञैः किं ? न किमपि, न हिताय, तेन तत्करणं न युक्तम् । आत्मस्वरूपोपयोगः-तन्मयैकत्वपरिणतिः कर्माभावकरी, तेन तत्र यतितव्यम् ॥२॥
વિવેચન :- પાપોનો નાશ કરનારો જો ભાવયજ્ઞ પ્રાપ્ત થતો હોય તો પાપોને બંધાવનારા, સંસારને જ વધારનારા અને જન્મ-જરા-મરણ આદિના દુઃખોને જ આપનારા એવા સાવદ્ય યજ્ઞોનું શું કામ છે ? અર્થાત્ તે યજ્ઞો આદરવા જેવા નથી. આવો ઉપદેશ આ શ્લોકમાં આપે છે.
હે દક્ષ મુનિ ! હે તત્ત્વજ્ઞ સમજુ મુનિ ! તું આવા પ્રકારના નિર્દોષ અને શુદ્ધ એવા ભાવયજ્ઞમાં લીન બન ! કે જે ભાવયજ્ઞ કેવો છે ? તે જણાવે છે. ભાવયજ્ઞ નિષ્કામ છે અર્થાત્ સર્વ પ્રકારની પરભાવદશાની અભિલાષાઓથી રહિત છે. પદ્ગલિક સુખની ઈચ્છાઓ એ એક મોટું બંધન છે. આત્માને ફસાવનારું છે. જન્મ-જરા-મરણની પરંપરા વધારનારું બંધન છે. તેથી આવી કામના વિનાનો જે ભાવયજ્ઞ છે તે જ સારો અને સાચો યજ્ઞ છે.
વળી પાપોનો નાશ કરનારો આ ભાવયજ્ઞ છે, જે જે અશુભ પાપ કર્મો છે ખાસ કરીને ઘાતી કર્મો એ મુખ્ય પાપકર્મો છે. તેનો વિનાશ કરનારો છે. માટે હે મુનિ ! તમે તેવા પ્રકારના જ્ઞાનાત્મક ભાવયજ્ઞમાં જોડાઓ. તથા આ જ્ઞાનયજ્ઞ એ આત્મતત્ત્વના યથાર્થ સ્વરૂપને