SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ §Oξ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧ જ્ઞાનસાર જન્મેલો ન હોય, તેનામાં એટલી બધી કદાચ આવડત ન હોય, હોંશિયારી ન હોય તો પણ પુણ્યોદયના પ્રતાપે રાજા-મહારાજા થાય છે. રાજા થાય તો કેવો રાજા થઈ શકે છે ? તે સમજાવે છે કે માથા ઉપરના છત્ર વડે (છત્રના પ્રકાશિત કિરણોના તેજ વડે ઢાંકી દેવાઈ છે દિશાઓ અને દિશાઓનાં આંતરાં (વિદિશાઓ) જેના વડે એવો ચક્રવર્તી અખંડ આજ્ઞાવાળો, છ ખંડનો અધિપતિ રાજા પુણ્યોદયના વિપાકથી થાય છે. તેથી તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી, ધવલ શેઠે શ્રીપાળ મહારાજાને મારી નાખવા માટે સમુદ્રમાં ફેંકી દીધા, પરંતુ શ્રીપાળ મહારાજાનો પુણ્યોદય હતો તેથી સમુદ્ર તો તર્યા, રાજકુંવરી પણ પરણ્યા અને રાજાના માનવંતા મહેમાન બન્યા, જે જોઈને ધવલશેઠ વિલખો થયો. આ રીતે વિચારતાં પુણ્યોદયવાળા પ્રતાપી રાજા પણ પાપના ઉદયથી ઘેર ઘેર ભિક્ષા માટે ભટકે છે અને પાપના ઉદયવાળો જાતિ ચતુરાઈ વિનાનો રંક પણ પુણ્યના ઉદયથી છત્રપતિ-ચક્રવર્તી રાજા થાય છે. આવા પ્રકારનો કર્મનો વિપાકોદય છે. માટે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ આ સંસારમાં મોહનીયાદિ ઘાતીકર્મોના ક્ષયોપશમથી અને ક્ષયથી પ્રાપ્ત થતાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ શુદ્ધ એવો આત્મધર્મ મળવો અતિશય દુર્લભ છે. પુણ્યોદય અને પાપોદયથી પૌદ્ગલિક લક્ષ્મી આવે છે અને જાય છે, પરંતુ હે જીવ ! તે લક્ષ્મી તારી નથી, તેથી તે આવે તો પણ શું ? અને જાય તો પણ શું ? તેના આવવાથી તારું કંઈ આવતું નથી અને તેના જવાથી તારું કંઈ જતું નથી. તારી હતી જ નહીં તો તેમાં હર્ષ-શોક શા માટે ? આ તો ઔદિયભાવ છે, બાધકભાવ છે, તારા સ્વરૂપનો રોધકભાવ છે. માટે તેનાથી તું વિરામ પામ. ક્ષયોપશમભાવ અને ક્ષાયિભાવ એ તારું સ્વરૂપ છે. તે ભાવોથી મળનારી ગુણપ્રાપ્તિ અત્યન્ત દુર્લભ છે. આમ હે જીવ ! તું સદા વિચાર કર. III विषमा कर्मणः सृष्टिर्दृष्टा करभपृष्ठवत् । जात्यादिभूतिवैषम्यात्, का रतिस्तत्र योगिनः ॥४॥ ગાથાર્થ :- જાતિ આદિની ઉત્પત્તિની વિષમતાથી કર્મોદયજન્ય સૃષ્ટિ, ઊંટની પીઠની જેમ વિષમ છે. તેવી વિષમ સ્થિતિમાં યોગી મહાત્માને પ્રીતિ કેમ હોય ? ॥૪॥ ટીકા ઃ‘‘વિષમા ધર્મળ કૃતિ'' ર્મા: સૃષ્ટિઃ-રચના, करभपृष्ठवत् विषमा વૃષ્ટી । સ્માત્ ? નાત્યાવિભૂતિવૈષમ્યાત્ - નાતિ:-તમુધ્વનીષાવિ, સંસ્થાન-વળસ્વર-સમ્પવિષેવાત્ મહદ્ વૈષમ્યું, તસ્માત્ । ઉત્તરૢ પ્રશમરતી
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy