SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી અનુભવાષ્ટક - ૨૬ ૭૦૯ વિવેચન :- કલ્પનાશક્તિ એટલે સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ પદાર્થની વિચારણામાં બુદ્ધિની પ્રવૃત્તિ થવી તે, દર્વી એટલે કડછી-મોટો ચમચો, પાક થયેલી અર્થાત્ તૈયાર થયેલી રસોઈને સૌથી પ્રથમ ચાટવાવાળી કડછી જ હોય છે. પ્રથમ કડછી જ તૈયાર રસોઈને ચાટે છે. કારણ કે તૈયાર થયેલાં શાક-દાળ-દૂધ આદિ પદાર્થોથી ભરેલા તપેલામાં સૌથી પ્રથમ કડછી જ નાખવામાં આવે છે એટલે કડછી જ તૈયાર રસોઈને પ્રથમ ચાટે છે. શાસ્ત્રનાં ઊંડાં ઊંડાં રહસ્યો જે છે તે ક્ષીરાન્ન છે તે ઊંડાં ઊંડાં રહસ્યોનો આસ્વાદ અનુભવ દ્વારા જ આવે છે. માટે અનુભવ તે જીભની જગ્યાએ છે. જેમ કડછી (મોટો-ઊંડો ચમચો) તપેલામાં ભરેલ ક્ષીરાન્નનો સ્પર્શ કરે છે. પરંતુ તેને જીભ (જીભસંબંધી ચેતના) ન હોવાથી ક્ષીરાન્નની મધુરતાના રસનો અનુભવ કડછીને થતો નથી. તેની જેમ કયા કયા પંડિત પુરુષોની તીવ્ર કલ્પનાશક્તિ અર્થાત્ બુદ્ધિની તીવ્ર શક્તિ શાસ્ત્રોના ઊંડા ઊંડા અર્થોને જાણવા રૂપ ક્ષીરાન્નનો સ્પર્શ નથી કરતી ? અર્થાત્ સઘળા પણ પંડિત પુરુષોની તીવ્ર કલ્પનાશક્તિ શાસ્ત્રાભ્યાસ રૂપી ક્ષીરાનનો સ્પર્શ કરે છે. બુદ્ધિની તીવ્ર કલ્પનાશક્તિ દ્વારા ઘણા ઘણા પંડિતપુરુષોની મતિ શાસ્ત્રોના પાઠોને, રહસ્યોને અને મર્મને જાણનારી બને છે. તેથી શાસ્ત્રપાઠ ભણેલા વિદ્વાનો ઘણા હોય છે, પરંતુ અનુભવજ્ઞાન મેળવવા વડે શાસ્ત્રોના ઐપર્યવાળા અર્થને માણવા રૂપ રસનું આસ્વાદન કરનારા જીવો વિરલા જ હોય છે. અર્થાત્ ઐદંપર્ય અર્થને જાણનારા કોઈક જ હોય છે. અતિશય અલ્પ આત્માઓ હોય છે શાસ્ત્રોના આત્મસ્પર્શી મર્મને જાણનારા મહાત્માઓ બહુ થોડા હોય છે. પી पश्यन्ति ब्रह्म निर्द्वन्द्वं निर्द्वन्द्वानुभवं विना । कथं लिपिमयी दृष्टि र्वाङ्मयी वा मनोमयी ॥६॥ " ગાથાર્થ :- નિર્દેન્દ્ર-સર્વ પ્રકારના ક્લેશથી રહિત એવા બ્રહ્મને એટલે શુદ્ધ આત્મસ્વરૂપને નિર્દેન્દ્ર (એટલે સાક્ષાત્-પ્રત્યક્ષ) અનુભવ વિના લિપિમયી (સંજ્ઞાક્ષર રૂપ) દૃષ્ટિથી, વાઙમયી (વ્યંજનાક્ષર રૂપ) દૃષ્ટિથી અને મનોમયી (લધ્યક્ષર રૂપ) દૃષ્ટિથી જગતના લોકો કેમ જાણી શકે ? કેમ જોઈ શકે ? કેમ માણી શકે ? દા ટીકા :- “પત્તિ કૃતિ'' િિપમયી-સંજ્ઞાક્ષરમયી, વાઙમયી-વ્યજ્ઞનાક્ષરમવી, मनोमयी-लब्ध्यक्षरमयी दृष्टिः- योगप्रवृत्तिरूपा, निर्द्वन्द्वानुभवं-परोपयोगमुक्तशुद्धानुभवं - शुद्धज्ञानं विना निर्द्वन्द्वं-परसन्निकर्षरहितं निर्मलं ब्रह्म-ज्ञानं, आत्मानं कथं पश्यन्ति ? न पश्यन्ति, न हि कर्मोपाधिरूपा बाह्यप्रवृत्तिः परब्रह्मग्राहिका भवति । अनुभवज्ञानी एव शुद्धात्मस्वरूपं पश्यन्ति ॥६॥
SR No.007779
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy