________________
જ્ઞાનમંજરી અનુભવાષ્ટક- ૨૬
૭૦૩ સામાન્યપણે શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયોવાળો, અને વિશિષ્ટ પ્રકારની શક્તિની અતિશય પ્રબળતાને લીધે શાસ્ત્રના વિષયથી પર બનેલો એવો આ ત્રીજો સામર્થ્યયોગ એ | ઉત્તમ યોગ છે. પા.
સિદ્ધિપદની પ્રાપ્તિના હેતુભૂત એવી ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનાદિનો જો સર્વથા શાસ્ત્રયોગથી જ પરિચ્છેદ થતો હોય તો તે જ કાળે સાક્ષાત્કાર થવાના કારણે તે જીવને ત્યાં જ સર્વજ્ઞતા થવાથી ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થવી જોઈએ. liા /૧
व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ॥२॥
ગાથાર્થ :- સર્વે પણ શાસ્ત્રોનો વ્યવહાર દિશા માત્ર જણાવવા પૂરતો જ હોય છે. પરંતુ એક અનુભવપ્રકાશ જ આ જીવને ભવોદધિ પાર પમાડે છે. //રા
ટીકા :- “વ્યાપાર તિ” સર્વશાસ્ત્રાપાં પુનરનુયો થવાનાં વ્યાપાર:उद्यमः अभ्यासः दिक्प्रदर्शन एव (मार्गदर्शक एव), यथाहि-पथिकस्य मार्गदर्शको मार्ग दर्शयति, परं पुरप्राप्तिस्तु स्वचङ्क्रमणेनैव । एवं शास्त्राभ्यासः परमप्रयासः स्वतत्त्वसाधनविधिदर्शकः, भववारिधे:-भवसमुद्रस्य पारं तु एकः अनुभवः प्रापयति, नान्यः । श्रीसूत्रकृताङ्गादिषु अध्यात्मभावेन सिद्धिरित्युक्तत्वात् । तेन सद्गुरुचरणचञ्चरीकैः आत्मस्वरूपभासनतन्मयत्वं निष्पाद्यम् ॥२॥
વિવેચન :- આત્મતત્ત્વના સ્વરૂપને કહેનારા જે ગ્રન્થો છે તેને શાસ્ત્ર કહેવાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે? કેવી રીતે તે પ્રાપ્ત થાય છે ? કર્મો આત્માને કેવી રીતે બંધનકર્તા છે. રાગાદિના કારણે આ જીવ કર્મો બાંધીને સંસારમાં કેવો રખડે છે ? ઈત્યાદિ આત્મતત્ત્વને સમજાવનારાં જે જે શાસ્ત્રો છે. તે શાસ્ત્રોનો વ્યવહાર તો માત્ર માર્ગદર્શક જ બને છે. શાસ્ત્રોના અધ્યયનમાં કરેલો ઉદ્યમ, અર્થાત્ શાસ્ત્રાભ્યાસ તો ભોમીયાની જેમ માત્ર માર્ગ બતાવનાર જ હોય છે. તે શાસ્ત્રાભ્યાસ કંઈ ભવસાગરના પારને પમાડતો નથી. જેમ ભોમીયો (માર્ગદર્શક) પુરુષ મુસાફરને માત્ર માર્ગ જ બતાવે છે. જે ગામ મુસાફરને જવું હોય, તે ગામ ભોમીયો લઈ જતો નથી, માર્ગ બતાવીને તે દૂર ખસી જાય છે. નગરની પ્રાપ્તિ તો મુસાફર પોતે સ્વયં ચાલે તો સ્વ-ચંક્રમણથી જ થાય છે. અન્યથા થતી નથી. તેવી જ રીતે શાસ્ત્રોએ બતાવેલા માર્ગે ચાલવાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે. પરંતુ શાસ્ત્રાભ્યાસ તો પરમતત્ત્વને પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસમાત્ર જ છે. આત્માની શુદ્ધસ્થિતિ સાધવાની વિધિને