SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮ ૫૪૭ ઉપરનાં ત્રણ વિશેષણોથી સમજાય છે કે પરભાવદશાને અનુસરનારી ચેતના વિનાના અને નિર્મળ એવા આત્માના શુદ્ધ સ્વરૂપને જ અનુસરનારી એવી ચેતનાના પરિણામથી પરિણત થયેલા, તથા ચાલી ગઈ છે ઉત્કર્ષ (ઉન્માદ-મોટાઈનું તોફાન) અને અપકર્ષની (દીનતા-લાચારીની વિવિધ પ્રકારની અનેક કલ્પનાઓ જેમાંથી એવા મોહમય સંકલ્પવિકલ્પોની જાળના પોટલા વિનાના આવા પ્રકારના જ્ઞાનભાવમાં જ પરિણામ પામેલાજ્ઞાનગુણમાં જ એકરસિક આવા પ્રકારના આત્મપ્રશંસા વિનાના મુનિમહાત્માઓ હોય છે. તે જ મુનિઓ આત્મતત્ત્વની સાધના કરવામાં એકાગ્રતન્મય લયલીન બની શકે છે. આ કારણથી અભિમાનના ઉન્માદને ઉત્પન્ન કરનારી એવી આત્મપ્રશંસા ક્યારેય પણ કરવી નહીં. સ્વોત્કર્ષ ક્યારેય પણ ગાવો નહીં. પોતે જ પોતાના ગુણો ગાવાનું જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરવું. આ પ્રમાણે અઢારમું અનાત્મશંસાષ્ટક સમાપ્ત થયું. ll . અઢારમું અનાત્મશંસાષ્ટકસમાપ્ત તે પહે Printed at BHARAT GRAPHICS 7. New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob, 9925020106 (Bharatbhai), Email: [email protected]
SR No.007778
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy