SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૪ અનાત્મશંસાષ્ટક- ૧૮ જ્ઞાનસાર જેમ જે શેરડીનો સાંઠો છે, તે સ્વયં મધુરતા ગુણવાળો છે. તેને ગમે તેટલા ઘાસથી ઢાંકો તો પણ તે પોતાની મધુરતાના ગુણ વડે વિસ્તાર પામશે જ. તે સાંઠો કંઈ ઢાંકેલો રહેતો નથી, તેમ ઉત્પન્ન થઈ ચુકેલા ગુણોને પોતાના મુખથી વારંવાર ગાવા વડે શું લાભ? અર્થાત્ કંઈ જ લાભ નથી. આ જ વાતની સાક્ષી પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સાહેબે શ્રી સુમતિનાથ પ્રભુના એક સ્તવનની ગાથામાં કહી છે - સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ, તેલબિંદુ જેમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ. All ઢાંકી ઈલુ પરાળશું છે, ન રહે લડી વિસ્તાર, વાચકયશ કહે પ્રભુતણોજી, તિમ મુજ પ્રેમપ્રકાર. //પા. પુનર્થવદ્યારે વર્ષથતિ – ફરી વ્યવહારથી પણ અનાત્મશંસન સમજાવે છે - श्रेयोद्रुमस्य मूलानि, स्वोत्कर्षाम्भप्रवाहतः । पुण्यानि प्रकटीकुर्वन्, फलं किं समवाप्स्यसि ॥२॥ ગાથાર્થ - કલ્યાણ રૂપી વૃક્ષનાં પવિત્ર મૂળીયાને પોતાના ઉત્કર્ષરૂપી પાણીના પૂરથી પ્રગટ કરતો એવો તું શું ફલ પ્રાપ્ત કરીશ? અર્થાત્ કંઈ ફળ પ્રાપ્ત થશે નહીં. //રા ટીકા - “શ્રેયોકુમ તિ” નો મદ્ ! પુનિ-વિત્રાળ શ્રેયોક્મસ્ય મૂનિંकल्याणवृक्षस्य मूलानि स्वोत्कर्षाम्भप्रवाहतः, स्वस्योत्कर्षः औत्सुक्यं, तदेव अम्भःप्रवाहः तस्मात् प्रकटीकुर्वन्-व्यक्तं कुर्वन् किं फलं समवाप्स्यसि ? अपि तु नैव, यस्य द्रुमस्य मूलमुत्खातं तेन फलापत्तिर्न भवति ॥२॥ | વિવેચન - કોઈપણ એક વૃક્ષ વાવ્યું હોય તેના ઉપર માટી આદિ નાખીને બીજાને ઢાંક્યું હોય તો કાલાન્તરે અંકુર ફુટે, છોડ ઉગે, મોટું વૃક્ષ થાય અને ફળ મેળવવાનો લાભ થાય, પરંતુ વૃક્ષ વાવ્યા પછી પાણીનું જોરદાર પૂર આવવાથી તેના ઉપર નાખેલી માટી વગેરેનો જો નાશ થઈ જાય, માટી ખેંચાઈ જાય અને વાવેલું બીજ ખુલ્લું થઈ જાય તો પછી તેમાંથી અંકુરા પ્રગટ થતા નથી, છોડ ઉગતો નથી. મોટું વૃક્ષ થતું નથી અને ફળની પ્રાપ્તિ થતી નથી તેમ અહીં સમજવું. હે ભદ્રજીવ (ભોળા જીવ) ! કલ્યાણની પ્રાપ્તિ રૂપી ફળ આપે એવાં વાવેલાં ઉત્તમ વૃક્ષનાં પવિત્ર મૂળીયાને પોતાની જ આત્મપ્રશંસા કરવા રૂપી પાણીનું પૂર છોડવાથી તે મૂળીયાંને ખુલ્લા કરતો એટલે કે વાવેલાં મૂળીયાંને ઉઘાડાં કરતો એવો તું શું ફળ પ્રાપ્ત
SR No.007778
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy