SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮ ૫૨૭ આવાં ગાણાં ગાવાનું મન જે જે કાર્યો કર્યા હોય તેમાં મમત્વબુદ્ધિ હોય તો જ થાય છે. આ મમત્વવાળી બુદ્ધિ કર્મબંધનું કારણ છે. માટે તેવા પ્રકારની આત્મશંસાથી ભિન્ન જે કથન તે અનાત્મશંસા, તેનું નિરૂપણ કરવા સ્વરૂપે આ અષ્ટક કહેવાય છે. ત્યાં પ્રથમ ચાર નિક્ષેપ સમજાવાય છે. નામનિક્ષેપ અને સ્થાપનાનક્ષેપ સુગમ છે. અનાત્મશંસન દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારનું છે જે અનાત્મશંસન દ્રવ્યથી છે તેના બાહ્ય-લૌકિક અને અંતરંગ લોકોત્તર એમ બે ભેદ છે અને ભાવથી જે અનાત્મશંસન છે તેના શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદ છે. તેથી ચિત્ર આ પ્રમાણે થાય છે. નિક્ષેપ નામ સ્થાપના સ્થાપના દ્રવ્ય ભાવ બાહ્ય અંતરંગ અશુદ્ધ શુદ્ધ લૌકિક લોકોત્તર ત્યાં લૌકિક બાહ્ય અનાત્મશંસન કોને કહેવાય? તે સમજાવે છે. પારકાનાં ધન, પારકાનાં ઘર અને પરની સ્ત્રી આદિ જે કોઈ પરપદાર્થો છે તે પોતાના ભોગને યોગ્ય નથી. તે પદાર્થોને આ જીવ મનથી, વચનથી અને કાયાથી પર માને છે. તેથી પોતાના ભોગાદિના પ્રયોજનનો જેમાં જેમાં અભાવ છે એવાં પરસ્ત્રી-ધન-ગૃહાદિને “આ મારાં નથી” આવા પ્રકારની ચિંતવણા-વિચારણા કરવી, આવું બોલવું અને વર્તવું તે લૌકિકબાહ્ય અનાત્મશંસન કહેવાય છે. જે ધન, ઘર, શરીર અને સ્વજનો વગેરે પોતાનાં છે, પોતાના ભોગને યોગ્ય છે અને આ જીવ ભોગ-ઉપભોગમાં જેનો વ્યવહાર પણ કરે છે અને કરી શકે છે. છતાં તે સઘળા પદાર્થો વિનાશી હોવાથી, (૧) આ ભવમાં પણ આપણે જવાનો સમય આવે તે પહેલાં પણ ક્યારેક ક્યારેક ચાલ્યા જાય છે, (૨) પરભવમાં જતાં કોઈપણ જાતની સહાય કરનારા નથી, (૩) કેવળ દુઃખની જ ઉત્પત્તિમય છે, તથા (૪) સ્વજનો પણ ખાસ કરીને પોતપોતાના સ્વાર્થમાં જ પ્રતિબદ્ધ છે માટે “આ બધા પદાર્થો પર છે મારા નથી.” આવા
SR No.007778
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy