________________
જ્ઞાનમંજરી
નિર્ભયાષ્ટક – ૧૭
૫૧૭
આ રીતે મુનિનું જ્ઞાન-ધન લુંટાવાનું નથી તેથી પોતાના જ્ઞાન-ધનનું સંરક્ષણ કરવાની અભિલાષાવાળા મુનિએ ભયપૂર્વક ક્યાં રહેવાનું રહે છે ? ભયપૂર્વક ક્યાંય રહેવાનું રહેતું નથી. કારણ કે આત્મધન લુંટાવાનું જ નથી. પોતે જ પોતાના જ્ઞાનધનનું સંરક્ષણ કરવાને સમર્થ છે. કેવા પ્રકારના મુનિએ નિર્ભયપણે રહેવાનું હોય છે ? તો કહે છે કે શેય એવા સ્વ અને ૫૨૫દાર્થના સમૂહને જ્ઞાન દ્વારા જાણતા એવા મુનિને ક્યાંય ભયપૂર્વક વર્તવાનું હોતું નથી. કારણ કે તેનું ધન લુંટાવાનું નથી માટે આ જગતમાં નિર્ભયપણે તે મહાત્મા પુરુષો વિચરી શકે છે. બે-પાંચ-દશ લાખની નોટો લઈને નગરના રાજમાર્ગો ઉપર ચાલવું હોય ભય લાગે. પરંતુ ચૌદપૂર્વ જેટલું વિશાળ જ્ઞાન હૃદયમાં ધારણ કરીને રાજમાર્ગો ઉપર નીકળવું હોય તો કોઈ ભય ન હોય; ઉલટું પ્રભાવકતા હોવાના કારણે ઉત્સાહપૂર્વક પ્રસન્ન મુખે નીકળી શકે – ચાલી શકે આવું શાનસુખ છે. IIII
-
एकं ब्रह्मास्त्रमादाय निघ्नन्मोहचमूं मुनिः ।
बिभेति नैव सङ्ग्राम- शीर्षस्थ इव नागराट् ॥४॥
ગાથાર્થ :- આત્મતત્ત્વના સ્વરૂપના જ્ઞાનરૂપી એક બ્રહ્માસ માત્રને ધારણ કરીને મુનિ મહારાજા મોહરાજાની સેનાને હણતા છતા યુદ્ધના મોખરે રહેલા ગજરાજની જેમ કોઈથી ડરતા નથી. III
ટીકા :- “પ બ્રહ્માસ્ત્રમિતિ'' મુનિ:-સ્વરૂપરત: પરમાવિત: ન વિષેતિ -न भयवान् भवति । किं कुर्वन् ? मोहचमूं निघ्नन् - मोहसैन्यध्वंसं कुर्वन्, किं વા? બ્રહ્માસ્ત્ર-વહ્મજ્ઞાનમાત્મસ્વરૂપાવવોધ:, તવેવાશ્ત્ર-શસ્ત્રમાાય-ગૃહીત્વા । इव ? सङ्ग्रामस्य शीर्षं, तत्र तिष्ठतीति सङ्ग्रामशीर्षस्थः नागराट्-नागराजो गजश्रेष्ठ इव । यथा गजश्रेष्ठः सङ्ग्रामे न बिभेति, तथा मुनि: कर्मपराजये प्रवृत्तो न भयवान् भवति । यो हि स्वरूपासक्तः, तस्य परभावध्वंसनोद्यतस्य भयं न भयं हि परसंयोगविनाशे ( वियोगे) भवति, तद्विनाशश्चास्य क्रियमाण एव, अतो न भयं वाचंयमस्य, शरीरादिसर्वपरभावविरतत्वात् ॥४॥
વિવેચન :- જે મુનિમહારાજા આત્માના શુદ્ધ સ્વરૂપમાં રક્ત છે અને અન્ય એવા પુદ્ગલદ્રવ્યોથી અને અન્ય એવા જીવદ્રવ્યોથી રાગ-દ્વેષ વિનાના બન્યા છે. અર્થાત્ પરભાવથી રહિત થયા છે તે મુનિમહારાજા ક્યાંય ભય પામતા નથી. સર્વત્ર નિર્ભયપણે પ્રવર્તે છે. આ મુનિમહારાજા એવું તે શું કાર્ય કરતા છતા વિચરે છે કે જેથી નિર્ભય છે ? મોહરાજાની