SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ભયાષ્ટક – ૧૭ જ્ઞાનસાર વિવેચન :- જે જે મહાત્મા-પુરુષોને પર-પદાર્થની અપેક્ષા નથી, પરદ્રવ્યની આશ્રયતા નથી, પરાધીનતા નથી, પર-પદાર્થોની આશા-ઈચ્છા નથી. મનથી પણ જે કોઈ પર પદાર્થની અપેક્ષા-આશા રાખતા નથી, ખાણી-પીણી, રહેણી-કરણીની કોઈ વસ્તુ મળી તો પણ શું ? અને ન મળી તો પણ શું ? કોઈ વ્યક્તિઓ મળવા આવ્યા તો પણ શું ? અને તે મળવા ન આવ્યા તો પણ શું ? કોઈએ આવકાર, માન-સન્માન કર્યું પણ શું ? અને આવકાર માન-સન્માન ન કર્યું તો પણ શું ? આમ જે મહાત્માને પર-તરફ આશા કે અપેક્ષા જ નથી, સર્વથા પરથી નિર્લેપ અને નિઃસ્પૃહ છે. તેવા મહાત્મા પુરુષ કે જેઓ આત્માની કેવલ એક સ્વભાવદશામાં જ રમણતા કરનારા છે. કેવલ એકલી સ્વભાવદશાની જે અદ્વૈતતા (એકતા) તે સ્વભાવાદ્વૈતતા, તેમાં જ વર્તનારા છે. આત્માના શુદ્ધસ્વરૂપમાં જ લયલીન રહેનારા છે. આ મહાત્મા પુરુષોને ભય, ભ્રમ અને ખેદનો વિસ્તાર એટલે કે આ ત્રણેનું સામ્રાજ્ય, આ ત્રણે દોષો તરફથી થતો પરાભવ કેમ હોય ? અર્થાત્ ન જ હોય. ૫૧૨ અહીં ભય એટલે ભયભીતતા-ત્રાસ-ડરપોકતા-ભયજન્ય કંપનતા કેમ હોય ? જો પરની અપેક્ષા જ નથી તો પછી ભય-ત્રાસ કેમ હોય ? અર્થાત્ ન જ હોય, એવી રીતે ભ્રાન્તિ એટલે ભ્રમ પણ કેમ હોય ? ન જ હોય, જેમકે કોઈ પુરુષને કોઈ સ્ત્રીનો અને કોઈ સ્રીને કોઈ પુરુષનો અતિશય પ્રેમ હોય, તેના જ સુખે સુખી અને તેના જ દુ:ખે દુ:ખી, આવો દૃઢ રાગ હોય તેવા પરાધીન આત્માઓને જ તે તે પાત્રોના વિયોગકાલે જ્યાં ત્યાં તે જ પાત્ર છે આમ ભ્રમ થાય છે અને ગાંડા માણસની જેમ મોહાન્ય એવા તે જીવ ભટકે છે. પણ આ મહાત્માઓને આવા પ્રકારની કોઈ પણ પરદ્રવ્યની અપેક્ષા જ નથી તેથી ક્યાંય આવો ભ્રમ પણ થતો નથી. તથા જેને જેને પરદ્રવ્યની અપેક્ષા હોય છે તેને તેને તે તે પદાર્થોની રાહ જોતાં જોતાં ઘણો સમય વીતી જાય ત્યારે ક્લાન્તિ-ખેદ થાય છે, થાકી જાય છે, ઉદાસીન બની જાય છે. મનમાં ક્લેશ કરે છે, પણ પરથી નિઃસ્પૃહ આત્માને આવું કંઈ થતું નથી. આ રીતે નિઃસ્પૃહ આત્માઓ ભય-ભ્રમ અને ક્લાન્તિ વિનાના હોય છે. નિઃસ્પૃહ આત્માને ભય-ભ્રમ અને ક્વાન્તિ સંભવતાં નથી. તેથી તજ્જન્ય પીડા પણ સંભવતી નથી. આ પ્રસંગે કાકુન્યાયથી અર્થ સમજાવ્યો છે. આપણે જે અર્થ સમજાવવો હોય તે અર્થ (સીધે સીધો ન સમજાવતાં) પ્રશ્ન દ્વારા જણાવીએ તેને કાકુન્યાય કહેવાય છે. આવા મુનિઓને શું ભય-ભ્રમ અને ખેદ હોય ? અર્થાત્ ન જ હોય. આમ પ્રશ્ન પૂછવા દ્વારા ઉત્તર આપ્યો છે તેથી તેને કાકુન્યાય કહેવાય. ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે જેણે જેણે પ૨વસ્તુનું ગ્રહણ અને સંરક્ષણ કર્યું છે, કરે છે અને કરવાની ઈચ્છા રાખે છે તેને તેને પરની આશા આદિના કારણે ભય-ભ્રમ અને ખેદ
SR No.007778
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy