SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ માધ્યચ્યાષ્ટક - ૧૬ જ્ઞાનસાર હોય તે નીલ ન હોય અને નીલ હોય તે રક્ત ન હોય તેમ આ શબ્દો પણ ભિન્ન ભિના લિંગવાળા હોવાથી ભિન્ન વાગ્યના વાચક છે. જે વસ્તુ પરસ્પર અવિરુદ્ધ ધર્મ-વિશેષવાળી હોય તે જ વાસ્તવિક વસ્તુ છે એમ સજ્જન પુરુષો સ્વીકારે છે. જેમ “પટ: ગુગ્ધ: નશઃ” આ ત્રણે શબ્દોથી વાચ્ય વસ્તુ એક છે. કારણ કે સમાન લિંગ અને સમાન વચન વગેરે હોવાથી. તેથી જ શાસ્ત્રકારો દ્વારા શાસ્ત્રોમાં આમ કહેવાય છે કે “જ્યાં પદાર્થ વાચાની સાથે વ્યભિચાર ન પામે તે જ સાચો શબ્દ છે.” આ પ્રમાણે આ નય સમાન લિંગ, સમાન સંખ્યા, સમાન પુરુષ અને સમાન વચનવાળા શબ્દને જ સાચો શબ્દ માને છે. તેથી જ તેને શબ્દનય કહેવાય છે. આ જ નયના એકાન્તવાદથી અનુગૃહીત થયેલું દર્શન એકાન્ત-શબ્દનયવાદી કહેવાય છે. પ્રત્યેક પદાર્થોમાં પ્રવૃત્તિરૂપ તત્ત્વનું કારણ શબ્દ જ છે. આમ શબ્દની પ્રધાનતાવાળી આ શબ્દનયની માન્યતા છે. तत्त्वार्थे शब्दनयस्त्रिभेदः, साम्प्रतसमभिरूद्वैवम्भूतभेदात् । साम्प्रतं-वर्तमानं भावाख्यमेव वस्त्वाश्रयत इति वर्तमानक्षणवर्तिवस्तुविषयोऽध्यवसायः, तद्भवः शब्दः साम्प्रतः, स्वार्थे को वा साम्प्रतिकः । अनुयोगद्वारादिषु भिन्नाख्यानेन भिन्नैव व्याख्यायते । यां यां संज्ञामभिधत्ते तां तां समभिरोहतीति समभिरूढः । सोऽभिदधति તત્ત્વાર્થસૂત્રમાં શબ્દનયના ત્રણ ભેદો કહ્યા છે - (૧) સામ્રત, (૨) સમભિરૂઢ, (૩) એવંભૂત. આવા પ્રકારના ત્રણ નામથી ત્રણ ભેદ કહ્યા છે. સાસ્કૃત એટલે વર્તમાનકાલીન, ભાવાત્મક જે વસ્તુ તેને જ આ નય સ્વીકારે છે. વર્તમાનકાલીન એકક્ષણ-માત્રવર્તી વસ્તુના વિષયવાળો જે અધ્યવસાય તે સામ્પત. તે સામ્પ્રત શબ્દથી ભવ અર્થમાં પ્રત્યય થતાં સાસ્કૃત શબ્દ બને છે અથવા સ્વાર્થમાં તદ્ધિતનો વા પ્રત્યય લાગતાં સાપૂતિના શબ્દ પણ બને છે. અનુયોગદ્વાર વગેરે આગમ શાસ્ત્રોમાં સામ્પ્રતસમભિરૂઢ અને એવંભૂત આમ ભિન્ન ભિન્ન નામો હોવાથી ભિન્ન ભિન્ન સંજ્ઞાનું જ વ્યાખ્યાન કરાય છે. નામ પ્રમાણે ભિન્ન ભિન્ન જ અર્થ કરાય છે. તેમાં પ્રથમ સામ્મતનય સમજાવ્યો. હવે સમભિરૂઢનય કહે છે - કોઈપણ વસ્તુ માટે જે જે સંજ્ઞા કહેવાય છે તે સંજ્ઞાને જ વધારે ભાર આપીને સ્વીકારે, તે તે શબ્દોની વ્યુત્પત્તિ પ્રમાણે જ અર્થને માને તે સમભિરૂઢ નય કહેવાય છે. તે સમભિરૂઢનયનું કહેવું છે કે –
SR No.007778
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy