SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૪ તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯ જ્ઞાનસાર શરીરને વધારે વખત રાખવામાં આવે તો અવશ્ય તેમાં કીડા આદિ જીવાત થાય જ છે. બાહ્યદૃષ્ટિવાળાને તે શરીરની બાહ્ય સુંદરતા જ માત્ર દેખાય છે. જ્યારે તત્ત્વદૃષ્ટિવાળાને શરીરનું વાસ્તવિક, વર્તમાન અને ભાવિ સ્વરૂપ દેખાય છે. દેખવા-દેખવામાં જ મોટો તફાવત છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે – નવ છિદ્રોથી વહેતા દુર્ગન્ધી રસ (પ્રવાહી પદાર્થ) ના પ્રવાહથી વ્યાપ્ત એવા આ શરીરમાં પવિત્રતાની બુદ્ધિ રાખવી એ મહા-મોહનો વિલાસ છે. આ રીતે વિચારણા કરતાં કર્મની ઉપાધિથી પ્રાપ્ત થયેલું આ શરીર આત્માને નિયમો અહિતકારી છે, કર્મબંધનો હેતુ હોવાથી ત્યાં રાગ કરવો હિતાવહ નથી માટે રાગનો અભાવ જ કરવો, રાગનો ત્યાગ કરવો. પા. गजाश्वैर्भूपभु( भ )वनं, विस्मयाय बहिर्देशः । तत्राश्वेभवनात्कोऽपि भेदस्तत्त्वदृशस्तु न ॥६॥ ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિ આત્માને હાથી, ઘોડા વગેરે સંપત્તિ વડે રાજભવન આશ્ચર્ય ઉપજાવે તેવું લાગે છે જ્યારે તત્ત્વદષ્ટિ આત્માને આ જ રાજભવનમાં અને હાથી, ઘોડાવાળા જંગલમાં કંઈ ફરક દેખાતો નથી. અર્થાત્ રાજભવન પણ જંગલ તુલ્ય ભાસે છે. દા ટીકા :- “નાઍનૂપ” રૂતિ વદિશ:-દિઃ નરી ભૂપમવનં-7પપૃદમ, गजाश्वैः-वारणाश्वगणैर्व्याप्तं विस्मयाय आश्चर्याय भवति । तत्त्वदृशः-तत्त्वज्ञानिनः तत्र राजमन्दिरे-अश्वेभवनात्-करितुरगवनात् कोऽपि भेदो न । अनन्तज्ञानानन्दाद्वैतात्मानुभवरक्ता (जीवा) वनं नगरतुल्यं जानन्ति ॥६॥ વિવેચન - ગ્રામ, આરામાદિ, સુંદરી અને શરીર ભોગી જીવને કેવાં લાગે? અને યોગી જીવને કેવાં લાગે ? તે સમજાવીને હવે “રાજભવન” ભોગીને અને યોગીને કેવું લાગે? તે સમજાવે છે. આ કાલે રાજભવનમાં રંગ-બેરંગી કિંમતી કારો કરતી હોય છે. તેનાથી રાજભવન દર્શનીય હોય છે. પ્રાચીનકાળમાં રાજાઓને ત્યાં હાથી-ઘોડા વધારે પ્રમાણમાં રહેતા એટલે બહિદૃષ્ટિવાળા જીવને રાજાનું ભવન-હાથી અને ઘોડા વગેરે બાહ્ય સામગ્રી વડે આશ્ચર્યકારી લાગતું, આ રાજાને કેટલા બધા હાથી છે? કેવા કેવા હાથી છે? કેટલા બધા ૧. અહીં પુસ્તકમાં અને પ્રતમાં વર્ન નકારતુત્ય નાના પાઠ દેખાય છે. તેથી તેની સંગતિ થાય તેવો અર્થ કરેલ છે. પરંતુ ઉપરની ચર્ચા જોતાં નારં વનતુત્યં નાનન્તિ હોવું જોઈએ એમ મને લાગે છે. કારણ કે હાથી ઘોડા ઘણા હોવાથી આ નગર અને જંગલ તુલ્ય જ છે આમ તત્ત્વજ્ઞજીવને જણાય છે. આ અર્થ વધારે સંગત લાગે છે છતાં તત્ત્વ કેવલિગમ્ય છે.
SR No.007778
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy