SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯ શાનસાર ગુરુજીએ જ્યારે ઉપર પ્રમાણે સમજાવ્યું ત્યારે હર્ષિત થયેલા સાધુમહાત્માઓ કહે છે કે - હે ગુરુજી ! બહુ જ સારું કર્યું, તમે બહુ જ સારું કર્યું, અમને ચેતવ્યા. જ્યાં મોહરાજાના આશયની પુષ્ટિ-વૃદ્ધિ થાય તેમ હોય તેવા ક્ષેત્રમાં તથા પાંચ ઈન્દ્રિયોના વિષયોથી અતિશય ભરેલું જે જે ક્ષેત્ર હોય તેવા ક્ષેત્રમાં સાધુ-સંતોએ ગમન કરવું ઉચિત નથી. આવું કહીને તે આચાર્યમહારાજશ્રી તથા નિર્પ્રન્થમુનિ પરિવાર વધારે વધારે વૈરાગ્યના રંગથી રંગાયા છતા પૃથ્વીતલ ઉપર વિહાર કરે છે. તે કારણથી સમજાશે કે આત્માના ગુણોના સુખમાં જે આત્માઓ સ્થિર થયા છે તે મહાત્માઓને ગામ, નગર, ઉદ્યાન આદિની શોભા પણ વૈરાગ્યનું જ કારણ બને છે. ૫૬૦ એકની એક વસ્તુ ઉપલક-દૃષ્ટિવાળાને સુખનું સાધન લાગે છે તે જ વસ્તુ તત્ત્વદૃષ્ટિવાળાને ઉપાધિમય અને દુઃખનું સાધન લાગે છે. જેમ સોનાનો હાર, હીરાની વીંટી કે રત્નજડિત મુગટ ઈત્યાદિ મોહકદ્રવ્યો ભોગી જીવને આનંદ અને સુખનું કારણ ભાસે છે એટલે જ તેનો સંગ્રહ કરે છે અને વધારે વધારે મેળવવા પ્રયત્નશીલ બને છે જ્યારે યોગી મહાત્માને આ સઘળું ય બંધન લાગે છે. કારણ કે તે વસ્તુઓ હોતે છતે સુખે સુવાય નહીં, નગરના રાજમાર્ગો ઉપર બેફીકરાઈથી નિર્ભયપણે નીકળાય નહીં, જ્યાં ત્યાં નિવાસ કરાય નહીં. મારી પાસે આટલી વસ્તુઓ છે એમ કોઈને કહેવાય નહીં, આટલી ભયભીતતા છતાં ચોર, લુંટારા, રાજા, સ્નેહીજનો લઈ જાય, પડાવી જાય ઈત્યાદિના કારણે આ વસ્તુઓ તત્ત્વદૃષ્ટિવાળા તે જીવને ઉપાધિરૂપે જ લાગે છે. દુઃખમાત્રનું જ સાધન લાગે છે. બાહ્યદૃષ્ટિમાં અને તત્ત્વદૃષ્ટિમાં આટલો મોટો આકાશ-પાતાલ જેટલો તફાવત છે. આ પ્રમાણે આત્મગુણોના સુખમાં લીન થયેલા આત્માને સાંસારિક સંપત્તિ રાગનું કારણ ન બનતાં વૈરાગ્યનું જ કારણ બને છે. ગા बाह्यदृष्टेः सुधासार-घटिता भाति सुन्दरी । तत्त्वदृष्टेस्तु सा साक्षाद् - विण्मूत्रपिठरोदरा ॥४॥ ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિવાળા જીવને જે સુંદરી અમૃતના સારથી ઘડાયેલી હોય તેવી મીઠી-સુખદાયી લાગે છે, પરંતુ તત્ત્વદૃષ્ટિવાળા જીવને તે જ સુંદરી સાક્ષાત્ વિષ્ટા-મૂત્ર અને હાડકાં (આદિ ગંદા-ગંદા પદાર્થો)નો ભંડારમાત્ર લાગે છે. II૪ ટીકા :- ‘“વાદ્યવૃિિત” વાદ્યછેઃ- સંસારવતસ્ય મુન્નરી-સ્ત્રી સુધામારઘટિતા भाति - अमृतमयी इव भाति । तदर्थमर्जयन्ति धनम् त्यजन्ति प्राणान्, मोहमत्ता मुञ्जादयोऽनेके। तु-पुनः तत्त्वदृष्टेः निर्मलानन्दात्मस्वरूपावलोकनदक्षस्य सा - सुन्दरी
SR No.007778
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy