SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮ ૨૪૭ શાસ્ત્રમૂર્તિ આદિનાં આલંબન લઈને તે ગુણો પ્રગટ થાય છે. પ્રાથમિક સભ્યત્વની પ્રાપ્તિના કાલે જીવને અનાદિકાળથી, મિથ્યાત્વનો જોરદાર અભ્યાસ છે, સમ્યકત્વના આચારોનો તેવો પ્રબળ સ્વયં અભ્યાસ નથી. તેથી અરિહંત પરમાત્માના પ્રવચનો-શાસ્ત્રો-મૂર્તિ-સગુરુસમજાવનારા ઈત્યાદિ પરપદાર્થોનું આલંબન લેવાનું હોય છે. જો કે આ પરપદાર્થો સ્વજાતિના (સ્વ-સ્વરૂપના) અબાધક છે. તો પણ પવિત્રવનેન = મતાત્ત્વિl: = પરદ્રવ્યનું આલંબન હોવાથી તે કાલે આવેલો ધર્મપરિણામ એટલો બધો બલિષ્ટ નથી કે આલંબન ન હોય તો પણ ટકે જ, માટે તેને તે કાલે અતાત્ત્વિક ધર્મપરિણામ કહેવાય છે. તત્ત્વ વસ્વરૂપમ્” “સ્વ-સ્વરૂપનું જ જ્યાં આલંબન હોય તે તાત્ત્વિક કહેવાય.” આવું પ્રથમ સમ્યકત્વકાલે નથી. અર્થાત્ અરિહંત પરમાત્માના પ્રવચનાદિનું આલંબન લેવું તત્ તુ = તે વળી સ્વસ્વરૂપમ્ = પોતાનું સ્વરૂપ નથી આત્માનું સ્વરૂપ નથી. પરસ્વરૂપ છે. તેથી “ન તન્મય.” = તન્મય એટલે કે સ્વમય નથી અર્થાત્ પરાવલંબી છે. પ્રથમ સમ્યકત્વકાલે માત્ર સ્વનું જ આલંબન હોય તેવું નથી. પરંતુ અરિહંત પરમાત્માદિ (શુભનિમિત્તોના) ગુણોનું (પરનું) આલંબન છે. માટે તે કાલે આવેલો :-આ ધર્મપરિણામ મોહજનક પરદ્રવ્યાનુયાયી નથી એટલે કે (આત્મામાં વિકારો લાવે-મલીન કરે તેવા) પરદ્રવ્યાનુયાયિ પાંચ ઈન્દ્રિયોના વિષયોના સેવનથી આશ્રવો થાય તેવી મલીન પરિણતિવાળો નથી પરંતુ તેવી મલીન પરિણતિના ત્યાગ વાળો છે. છતાં પણ, નિર્વિષયક અને નિસ્ટંગ એવા ઉપકારક પરમાત્મા શ્રી તીર્થંકરદેવાદિનું (પરદ્રવ્યનું) આલંબન તેમાં અવશ્ય છે. તેથી “પરાનુયાયિતા” પરદ્રવ્યનું આલંબન લેવાપણું તેમાં છે જ. આ કારણે તે અતાત્વિક ધર્મપરિણામ કહેવાય છે. પરંતુ આત્માનો જે ધર્મપરિણામ સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિવાળો, મોહનીયાદિ કર્મોના ક્ષયોપશમવાળો, શુદ્ધ આત્મતત્ત્વની શ્રદ્ધા અને શુદ્ધ આત્મતત્ત્વના જ્ઞાનવાળો અને શુદ્ધ આત્મતત્ત્વમાં જ રમણતા કરવાના સ્વરૂપવાળો છે વળી તે ધર્મપરિણામ પણ અરિહંત પરમાત્માના પ્રવચન-સદ્ગુરુ-પ્રતિમાદર્શન વગેરે અન્ય નિમિત્તોના આલંબન વિના પોતાના આત્મબળે જ આવો ક્ષયોપશમ વર્તે છે. જે અન્તર્મુહૂર્તના કાળમાં જ ક્ષાયિકભાવ રૂપે પરિણામ પામવાનો છે. તે અરિહંતાદિના બાહ્ય શુભ આલંબન વિનાનો હોવાથી તાત્વિક ધર્મપરિણામ કહેવાય છે જે આઠમા ગુણઠાણાના અપૂર્વકરણમાં આવે છે. જ્યાં શુભનિમિત્તોનું આલંબન છે તેમાં પરાનુયાયિતા (પરદ્રવ્યને અનુસરવાપણું) છે. માટે અતાત્ત્વિક કહેવાય છે અને જ્યાં શુભનિમિત્તોનું પણ આલંબન નથી ત્યાં પરાનુયાયિતા (પરદ્રવ્યને અનુસરવાપણું) નથી, તેથી તે તાત્ત્વિક-ધર્મપરિણામ કહેવાય છે. પ્રથમ
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy