SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮ जेण वीयरागदंसणं जायं, एवं अभिणंदंतो पंचाभिगमपुव्वं तित्थयरचलणे वंदिऊण ठिओद्धणंतो ताव चारित्तमोहस्स खओवसमेण जायविरइमई भणइ, नाह ! असरणसरण ! महासत्थवाह ! भवसमुद्दनिज्जामय ! ममं सामाईयं उवदिसह, जेण कसायच्चाओ भवइ । एवं वुत्ते अरिहंतेण सामाईअं दिण्णं । गहिअवओ समणो जाओ । ताव आउक्खयं जायं, मओ से कुमारसमणो । દૃષ્ટી: = દેખ્યા છે સાક્ષાત્ ૩૪ તિશય અતિશયો જેણે એવો તે કુમાર (પોતાની સો પત્નીઓને ઉદ્દેશીને) કહેવા લાગ્યો કે હે ભદ્ર ! સર્વ દેવેન્દ્રો વડે વંદન કરાતાં છે ચરણો જેનાં એવા, ત્રણે ભુવનના જીવોને ચમત્કાર કરનારા, શું કોઈપણ આવા પ્રકારના બીજા પુરુષ હોઈ શકે છે ? અર્થાત્ આવા મહાપુરુષ બીજા કોઈ જ નથી. આમ બોલતા બોલતા પ્રસન હૃદયવાળા, કુ = વિકસેલાં છે ૩પત્રમત્ન = ઉત્પલ અને કમલની તુલ્ય નવયળો = નેત્ર અને મુખ જેનાં એવા આ સુભાનુકુમાર જેટલામાં સન્મુખ પહોંચીને અરિહંત પરમાત્માને દેખે છે અને હર્ષથી નાચી ઉઠે છે. અહો! આજે મારો પુન્યનો અંકુરો ફળીભૂત થયો. અહો ! આજે મારે અમૃતનો મેઘ વર્ગો, કારણ કે વીતરાગપરમાત્માનાં મને દર્શન થયાં, આ પ્રમાણે અભિનંદન કરતો પાંચ અભિગમ સાચવવાપૂર્વક તીર્થંકર પરમાત્માના બન્ને ચરણોને વંદન કરીને બેઠો, પરમાત્માની સ્તુતિ કરતા કરતા-ગુણગાન ગાતા ગાતા વર્તે છે, તેટલામાં જ ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમભાવ થવાથી ઉત્પન્ન થઈ છે સર્વવિરતિની (દીક્ષાની) મતિ જેને એવા તે સુભાનુકુમાર પ્રભુને કહે છે કે – હે નાથ ! હે અશરણ જીવોને શરણતુલ્ય, હે મહાસાર્થવાહ! ભવસમુદ્રમાં નિર્યામક તુલ્ય હે પ્રભુ ! મને સર્વવિરતિ સામાયિકનો ઉપદેશ કરો (મને સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવો). કે જેથી મારામાંથી કષાયોનો ત્યાગ થાય. સુભાનુકુમાર વડે આમ કહેવાય છતે અરિહંત પરમાત્મા વડે સુભાનુકુમારને સર્વવિરતિ સામાયિક અપાયું (દીક્ષા અપાઈ). ગ્રહણ કર્યા છે પાંચ મહાવ્રત જેણે એવા સુભાનુકુમાર હવે શ્રમણ (સાધુ-મુનિ) થયા. તેટલામાં જ તેમના આયુષ્યનો ક્ષય થયો અર્થાત્ આયુષ્ય સમાપ્ત થયું અને તે શ્રમણ થયેલા સુભાનુકુમાર ત્યાં જ મૃત્યુને પામ્યા. સંયમી જીવનમાં આયુષ્ય સમાપ્ત થયું. ___ता तस्स जणओ राया सपरिजणो आगओ, सुअं मयं पासिऊण विसन्नो, जणणी वि विलवंती रुयमाणी, सो सुभाणुजीवो झत्ति देवत्तं लहिऊण समागओ जिणचरणे, ता अम्मापियरो विलवंता पासिऊण भणइ, को एरिसो दुक्खो जं
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy