SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ૨૨૯ ત્યાગાષ્ટક - ૮ अनादिमिथ्यादृष्टिः कुदेवादिरक्तः, स च सम्यग्दर्शनबलेन निर्धारितस्वधर्मरुचिः शुद्धदेवादीन् गृह्णाति, तथापि परत्वज्ञप्तिरेव, अप्रशस्तत्यागः प्रशस्तग्रहणम्, प्रशस्तत्यागः स्वसाधनपरिणतिग्रहणं, स्वसाधनपरिणतित्यागः स्वसत्ताधर्मग्रहणमिति મ: પરમસિદ્ધઃ । અનાદિકાલથી મિથ્યાત્વમોહના ઉદયની પરવશતાના કારણે મિથ્યાર્દષ્ટિ એવો જીવ કુદેવ-કુગુરુ અને કુધર્માદિમાં રક્ત બનેલો છે પરંતુ મિથ્યાત્વમોહનો ક્ષયોપશમ કરવા વડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના બલ દ્વારા નિશ્ચિત કરી છે સ્વધર્મની રુચિ જેણે એવો તે જીવ જ્યારે થાય છે ત્યારે કુદેવ-કુગુરુ અને કુધર્મમાં શ્રદ્ધા-રક્તતા ન રહેવાથી તેના પ્રતિપક્ષભૂત એવા સુદેવ-સુગુરુ અને સુધર્મનું આલંબન ગ્રહણ કરે છે. તે કાલે તે સુદેવાદિ ગ્રહણ કરવા લાયક બને છે. તો પણ “આ પરદ્રવ્ય છે. આલંબન પૂરતાં જ તેને હું લઉં છું. અંતે તો છોડી જ દેવાનાં છે” આવા પ્રકારની પરપણાની બુદ્ધિ તો હોય જ છે. સુદેવ-સુગુરુ અને સુધર્મ એ મારું સ્વરૂપ નથી, ફક્ત તેનું આલંબન મારા સ્વધર્મની પ્રાપ્તિનું પ્રબલ કારણ છે, માટે હું તેનું ગ્રહણ કરું છું. આવી ભેદબુદ્ધિ તો રહે જ છે. આવી પરત્વ-બુદ્ધિ અવશ્ય રાખવી જ જોઈએ. આ રીતે (૧) અશુભ આલંબનનો ત્યાગ અને શુભ આલંબનનું ગ્રહણ, આ પ્રથમ પગથીયું છે. (૨) શુભ આલંબનનો પણ ત્યાગ અને પોતાના આત્મામાં જ સાધનાની પરિણતિનું ગ્રહણ, આ બીજું પગથીયું છે. (૩) પોતાના આત્મામાં સાધનાની પરિણતિનો પણ ત્યાગ અને પોતાના આત્મામાં જ સત્તાસ્વરૂપે રહેલા રત્નત્રયી આત્મક સ્વધર્મનું ગ્રહણ, આ ત્રીજું પગથીયું છે. આમ ક્રમે ક્રમે પરમપદની (મુક્તિપદની) સિદ્ધિ થાય છે. तत्र नामत्यागः शब्दालापरूपः, स्थापनात्यागः दशयतिधर्मपूजनादौ स्थाप्यमानः, द्रव्यत्यागः द्रव्येण बाह्यवृत्त्या इन्द्रियसुखाभिलाषेण उपयोगभूतेन वा यस्त्यागः द्रव्यत्यागः, द्रव्यस्य द्रव्याणां वा आहारोपधिप्रमुखस्य त्यागः, द्रव्यरूपः त्यागः द्रव्यत्यागः, स च आगमतः द्रव्यत्यागस्वरूपज्ञानी अनुपयुक्तः, नोआगमतः ज्ञशरीरं त्यागस्वरूपज्ञायकस्य शरीरं, भव्यशरीरं त्यागस्वरूपज्ञायकभावी लघुशिष्यादिः, तद्व्यतिरिक्तस्तु द्रव्यत्यागः पुद्गलाशंसा-इहलोकाशंसा-परलोकाशंसारहितः स्वरूपसाधनाभिमुखी बाह्योपधिशरीरान्नपानस्वजनादित्यागः इति । भवतः अभ्यन्तररागद्वेषमिथ्यात्वाद्याश्रवविभावपरिणतित्यागः, आत्मनः क्षायोपशमिकानां ज्ञानादीनां परभावतो निवृत्तिः भावत्यागः, सम्यग्ज्ञानपूर्वकचारित्रवीर्यसंकरजन्यः आत्मपरिणामः ।
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy