SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ વિવેકાષ્ટક - ૧૫ જ્ઞાનસાર ઘટ બુદ્ધિમાં વિચાર્યો નથી, તેથી ગમે તે કાર્ય થઈ જવાનો પ્રસંગ આવે. અથવા શૂન્યમનસ્ક હોવાથી કોઈ પણ કાર્ય ન બને એમ કાર્યનો અભાવ પણ થઈ જાય. તેથી બુદ્ધિથી વિચારેલામનમાં ગોઠવી રાખેલા કાર્યને પણ પોતાના તે કાર્યનું કારણ માનવું જોઈએ. ઉપર ચર્ચા ઘણી કરી, ઘણું શું કહીએ? જેમ જેમ યુક્તિથી કર્મની કરણકારકતા ઘટી શકે છે તે રીતે પંડિતપુરુષે કર્મકારકની કરણકારકતા સમજવી અને સમજાવવી. જો આમ ન સમજીએ અને કર્મને કર્મકારક અને કરણકારક એમ બે જાતની કારકતા ન માનીએ તો “રોતીતિ રમ્' જે કાર્ય કરે તે કારક, આ વ્યાખ્યા પ્રમાણે છે કારક છે. આવી શાસ્ત્રકારોની વાત સંગત થાય નહીં. માટે આ તત્ત્વ સૂમબુદ્ધિથી વિચારીને છ કારક સમજવાં. //ર૧૧પો देओ स जस्स तं संपयाणमिह तं पि कारणं तस्स । होई तदत्थिताओ, न कीरए तं विणा जं सो ॥२११६॥ તે ઘટાત્મક પર્યાય જેને આપવાનો હોય તે સંપ્રદાનકારક કહેવાય છે. તે સંપ્રદાન પણ કાર્યનું કારણ છે. જો તે ઘટના અર્થી (ગ્રાહક) કોઈ હોય તો જ કરાય છે. અર્થી વિના તે ઘટપર્યાય કરાતો નથી. ll૧૧દી ટીકા - મનવપર્યાય: યસ્થ રેયઃ સ ત પ્રતિ સમ્રતાનમ, તપિ તર્ય कारणम् । यद्वस्तु तदर्थित्वे-तत्त्वे तद्पत्वे भवति, न अभिनवपर्यायग्रहणं तर्हि न कार्योत्पत्तिः । इदमुक्तं भवति-अभिनवपर्यायग्रहणेनैव कार्यसिद्धिः ॥२११६॥ વિવેચન - હવે સંપ્રદાનકારક સમજાવે છે જ્યારે ઘટ બનાવવાનો હોય ત્યારે ઘટ અને પટ બનાવવાનો હોય ત્યારે પટ એમ ઉત્પન્ન કરાતું કાર્ય એ અભિનવપર્યાય (નવોઅપૂર્વપર્યાય) કહેવાય છે. આ બનાવાતો અભિનવપર્યાય જેને આપવાનો હોય, જેના માટે બનાવાતો હોય તે અભિનવપર્યાય લેનાર વ્યક્તિ (ગ્રાહક-ગરાગ), તે અભિનવપર્યાય પ્રત્યે સંપ્રદાનકારક કહેવાય છે. ઘટ જે ગ્રાહકો માટે કરાતો હોય તે ગ્રાહક ઘટનું સંપ્રદાનકારક છે. પટના ગ્રાહક તે પટનું સંપ્રદાનકારક છે. આ રીતે ગ્રાહક પણ તે કાર્યનું કારક બને છે. જે વસ્તુ (જે કાય) તેના અર્થ હોતે છતે એટલે કે અર્થારૂપ (ગ્રાહકરૂપ) તત્ત્વ હોતે છતે જ અભિનવપર્યાય કરાય છે અને જો અભિનવપર્યાયને ગ્રહણ કરનાર ગ્રાહક કોઈ ના હોય તો તે કાર્યની ઉત્પત્તિ થતી નથી. માટે તે તેનું સંપ્રદાનકારક કહેવાય છે.
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy