________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૩૯
કારણે જ પોતાના આત્મસ્વરૂપનું જે કર્તૃત્વ અને ભોક્તૃત્વાદિ હતું તેની પરાવૃત્તિ થઈને (તે બદલાઈને) કર્મ-પરમાણુઓના સ્કંધોને ગ્રહણ કરવું, કર્મો બાંધવાં, ઉદયમાં આવે ત્યારે ભોગવવાં, તેને આધીન થઈને તે તે પર્યાયરૂપે થવું. આમ પરદ્રવ્યને આશ્રયી ગ્રાહકતાદિ શક્તિઓ પરિવર્તન પામવાના કારણે તે તે કર્મ-સ્કંધોનાં કર્તૃત્વ અને ભોક્તત્વાદિની પ્રાપ્તિ આ જીવમાં ઉપચિરત કરાય છે.
આત્મામાં પરદ્રવ્યનું કર્તૃત્વ-ભોક્તત્વ છે નહીં, તો પણ આરોપ-ઉપચાર કરાય છે. જે મિથ્યા આરોપ કરાય તેને ઉપચાર કહેવાય છે. જેમ વરસાદ હંમેશાં પાણી જ વરસાવે તો પણ અનાજ સારાં પાકવાથી ધંધા સારા ચાલવાથી લોકો સોનું (સુવર્ણ) વસાવે છે તેથી આવો ઉપચાર કરાય છે કે ‘“સુવન્ વયંતિ મેવ:'' = વાદળમાંથી સોનું વરસે છે. આજે તો સોનું વરસે છે. તેની જેમ આ આત્મા શુદ્ધ-બુદ્ધ હોવાથી આ આત્મામાં પરભાવના કર્તૃત્વ-ભોક્તત્વ આદિ પરિણતિનો અભાવ હોવા છતાં પણ ઔપાધિક એવા (કર્મોના ઉદયથી આરોપિત કરાયેલા એવા) પરના કર્તૃત્વ-ભોક્તત્વ આદિ ભાવોનો ઉપચાર કરાય છે.
સુભટોએ મેળવેલી દેશની હાર-જીત જેમ રાજાની કહેવાય છે તેમ કર્મોથી થયેલા સુખી-દુઃખી, રાજા-રંક, દેવ-નારકાદિ ભાવો જીવના કહેવાય છે. પરમાર્થે આ ભાવો જીવના નથી, આવો વિવેક કરવો. ॥૪॥
पुनस्तदेव कथयति परप्रसङ्गाच्चैतन्यव्यामोहं दर्शयति ફરીથી બીજું એક દૃષ્ટાન્ત આપવા દ્વારા પરભાવદશાની પ્રબળતાથી ચૈતન્યનો વ્યામોહ થયો છે (ભ્રમ થયો છે) તે સમજાવે છે.
=
इष्टकाद्यपि हि स्वर्णं, पीतोन्मत्तो यथेक्षते । आत्माऽभेदभ्रमस्तद्वद् देहादावविवेकिनः ॥५॥
ગાથાર્થ :જેમ ધતુરાના પાનથી ઉન્મત્ત થયેલો પુરુષ ઈંટ આદિને પણ સુવર્ણ સ્વરૂપે જ દેખે છે તેમ અવિવેકી જીવો શરીરાદિ પુદ્ગલદ્રવ્યને વિષે પોતાના અભેદપણાની બુદ્ધિનો ભ્રમ કરે છે. પા
ટીકા:- ‘“ફટ્ટાદ્યપિ’ કૃતિ, શ્ચિત્ પીતોન્મત્તઃ પીતેન-નજેન તિરથन्यायेनार्थः धत्तुरकेणोन्मत्तः - घूर्मितः इष्टकाद्यपि मृन्मयस्कन्धानपि हीति-निश्चितं स्वर्णमीक्षते - विलोकते, तद्वत् अविवेकिनः- तत्त्वज्ञानविकलस्य देहादौ - शरीरादौ आत्माऽभेदभ्रमः- आत्मना - चेतनेन सह न भेदः - अभेदः, तस्य भ्रमः भवति