________________
જ્ઞાનમંજરી
વિવેકાષ્ટક - ૧૫
૪૩૩
સમજીને સ્વીકારીને પુદ્ગલદ્રવ્યોમાં જે મોહાન્ધ બનતા નથી. રાગાદિ ભાવવાળા થતા નથી. અલ્પમાત્રાએ પણ અંજાતા નથી અને જે અતિશય વૈરાગી તથા સંવેગ-નિર્વેદ પરિણામવાળા બને છે તે જ સાચા મુનિ છે. તે જ મુનિ હંસની તુલ્ય છે અને તે જ મુનિ સાચા વિવેકવાળા છે, સાચા ભેદજ્ઞાની છે. આવા મુનિ જ ગૃહસ્થવાસનો હૃદયથી ત્યાગ કરે છે. શરીરશોભા ત્યજે છે. ધન-ધાન્યાદિનો સંગ્રહ તથા મૂર્છા ત્યજે છે. અરણ્યવાસ સ્વીકારે છે, એકાન્તમાં વસે છે. નિત્ય સ્વાધ્યાયમાં જ રક્ત બને છે. આત્મતત્ત્વના ચિંતન-મનનમાં લીન થાય છે. ॥૧॥
देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभ भवे । भवकोट्यापि तद्भेद-विवेकस्त्वतिदुर्लभः ॥२॥
ગાથાર્થ ઃ- શરીર અને આત્મા આદિને વિષે આ અવિવેક-અભેદબુદ્ધિ સર્વકાલે સંસારમાં સુલભ છે. પરંતુ તે બન્નેના ભેદનો વિવેક થવો તે કોટિભવોએ પણ અતિદુર્લભ
છે. ૨ા
ટીકા :- ‘‘વેહાત્મા કૃતિ’’-આત્મા ત્રિવિધ: વાદ્યાત્મા (?), અન્તરાત્મા (૨), परमात्मा (३) चेति । यस्य देहमनोवचनादिषु आत्मत्वभासः - देह एवात्मा एवं सर्वपौद्गलिकप्रवर्तनेषु आत्मनिष्ठेषु आत्मत्वबुद्धिः स बाह्यात्मा १ । मिथ्यादृष्टिः एषः । पुनः सकर्मावस्थायामपि आत्मनि ज्ञानाद्युपयोगलक्षणे शुद्धचैतन्यलक्षणे महानन्दस्वरूपे निर्विकारामृताव्याबाधरूपे समस्तपरभावमुक्ते आत्मत्वबुद्धिः अन्तरात्मा । सम्यग्दृष्टिगुणस्थानकतः क्षीणमोहं यावत् अन्तरात्मा उच्यते २ । यः केवलज्ञानदर्शनोपयुक्तः शुद्धसिद्धः स परमात्मा, सयोगी अयोगी केवली सिद्धश्च स परमात्मा उच्यते ३ ।
સંસારમાં રહેલા જીવો ત્રણ પ્રકારના છે - (૧) બહિરાત્મા, (૨) અંતરાત્મા, (૩)
પરમાત્મા.
શરીર, મન અને વચન વગેરે પૌદ્ગલિક પદાર્થો કે જે પદાર્થો આત્માના નથી, આત્માથી ભિન્ન છે અને આત્મા તે પદાર્થોથી ભિન્ન છે છતાં મોહના ઉદયથી તેવા પ્રકારના તે પૌદ્ગલિક પદાર્થોને વિષે ‘આત્મત્વવૃદ્ધિ = મારાપણાની બુદ્ધિ” જે જે જીવોને છે તે સર્વે બહિરાત્મા કહેવાય છે. દેહ એ જ આત્મા છે. શરીર સારું તો બધું સારું, શરીરની શોભા એ જ મારી શોભા છે. આમ આત્માની સાથે રહેલા પુદ્ગલદ્રવ્યોની લેવડ-દેવડની પ્રવૃત્તિને વિષે મારાપણાની બુદ્ધિ, મમતા ભાવ, અભેદ બુદ્ધિ, એકતાનો પરિણામ જે જે જીવોને છે.