SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ઈન્દ્રિયજયાષ્ટક - ૭ ૨૨૧ નિત્યાનિત્ય, ભિન્નાભિન્ન, સામાન્યવિશેષ ઈત્યાદિ જે સમ્યજ્ઞાન છે તે જ યથાર્થભાવે ધારણ કરવામાં આવે તો અવિનાશિ એવું જે સ્થાન (મુક્તિપદ) છે તેનું તે જ્ઞાન કારણ બનતું હોવાથી જ્ઞાનને જ “અમૃત” કહેવાય છે. તેને ત્યજીને મોહાન્ય જીવો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એમ પાંચ વિષયોમાં ભોગના અતિશય અભિલાષી થયા છતા તે વિષયો પ્રાપ્ત કરવા માટે અધીરા થઈને દોડે છે. તે વિષયો મેળવવા માટે મોહાન્ય જીવો રાત-દિવસ સખત પ્રયત્ન કરે છે. તે માટે દંભ અને સંકલ્પ વિકલ્પોની કલ્પના પણ કરે છે. તે માટે (અનેક જીવોની હિંસા હોવા છતાં) ખેતી આદિ કાર્યો પણ કરે છે. તથા સમુદ્રગમન, ક્ષુધા-તૃષા-વેદન, રાત્રિજાગરણ આદિ અનેક અકલ્પ્ય મુશ્કેલીઓ સહન કરે છે. પરંતુ ઈન્દ્રિયોના આ વિષયો આગળ આગળ વધતી તૃષ્ણાવાળા ઝાંઝવાના જળની તુલ્ય છે. જેમ તે ઝાંઝવાનું જલ આગળ આગળ દેખાય, પણ ક્યારેય પ્રાપ્ત ન થાય તથા પિપાસાનો છેદ કરનાર ન બને, તૃષા મટાડે નહીં “જલ છે” આવી ભ્રાન્તિ જ માત્ર રહે એ જ પ્રમાણે ઈન્દ્રિયોના ભોગો પણ સુખ નથી, દુ:ખ જ છે. ફક્ત તત્ત્વવિકલ જીવોને ત્યાં સુખની ભ્રાન્તિ માત્ર જ કરાવનાર બને છે. તત્ત્વવિકલ જીવો ત્યાં સુખ માનીને ભ્રાન્ત થયા છતા તેની પાછળ દોડે છે. ખસના રોગીને ઉપડેલી ખણજ ખણવાથી આનંદ થાય, પણ ખણજ તે આનંદનું સાધન નથી. ખસનો રોગ વધારનાર છે તેમ આ વિષયો પણ તેવા જ છે. પરંતુ સાચું તત્ત્વ જે જીવો પામ્યા નથી તેવા તત્ત્વવિકલ જીવોને ત્યાં સુખબુદ્ધિ થાય છે તેથી જ તેઓ તેમાં ફસાયા છે. ॥૬॥ पतङ्गभृङ्गमीनेभसारङ्गा यान्ति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ॥७॥ ગાથાર્થ :- પતંગીયું, ભ્રમર, મસ્ત્ય, હાથી અને હરણ આ પાંચે પ્રાણીઓ એક એક ઈન્દ્રિયના દોષથી જો દુર્દશાને પામે છે તો તે દુષ્ટ પાંચે ઈન્દ્રિયોના દોષો વડે કયું દુઃખ ન આવે ? અર્થાત્ સમસ્ત દુઃખો તેનાથી આવે છે. IIણા ટીકા :- “પતઽમૃમીનેતિ''-રૂપાસવત: પત, રસાસતો મીન:, ન્યાસવતો ભૃઙ્ગ:-ભ્રમર:, સ્પર્શાસન્ત: રૂમ:-મન:, શાસક્ત: માર્ક:-મૂળ:, एकैकेन्द्रियदोषात् दुर्दशां - दुष्टां दीनां दशामवस्थां यान्ति तदा तैः पञ्चभिः दुष्टैः किं न इति ? किं दुःखं न भवति ? भवत्येव । अत एव महाचक्रधरा वासुदेवाः मण्डलिकादयः कण्डरीकादयश्च विषयव्यामोहितचेतना नरके दीनावस्थां प्राप्ताः । किं बहुना ? मा कुरुध्वं विषयविषसङ्गमम् ॥७॥
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy