SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ વિદ્યાષ્ટક - ૧૪ જ્ઞાનસાર તથા મનાત્મકું-જે શરીર, ધન, ઘર, અલંકારાદિ ભોગ્ય પુદ્ગલ સામગ્રી આ જીવની નથી તેમાં “કાત્મતારાતિ' કરવી – મારાપણાની બુદ્ધિ કરવી તે પણ અવિદ્યા છે. હું અને મારું' એવી જે બુદ્ધિ, આ શરીર એ જ મારું છે અને શરીર એ જ હું છું, તે શરીરની પુષ્ટિવૃદ્ધિમાં હું પુષ્ટ થયો, આગળ વધ્યો, મેં વિકાસ સાધ્યો, આવી જે ખ્યાતિ, આવું જ કહેવુંમાનવું અથવા આવું જે જ્ઞાન, તેમાં જ રમણતા કરવી તે સઘળી અવિદ્યા કહેવાય છે. શરીરાદિ સર્વે પણ ભોગસામગ્રી પુગલદ્રવ્યની બનેલી છે. જીવદ્રવ્યની બનેલી નથી. ભવાન્તરથી સાથે આવતી નથી કે ભવાન્તરમાં લઈ જવાતી નથી. લાખો-કરોડોનું ધન, સાત સાત માળની મોટી હવેલીઓ, સેંકડો રૂપવતી સ્ત્રીઓ, રાજપાટ અને ચક્રવર્તીપણું મૂકીને જ જીવ ભવાન્તરમાં જાય છે. આ શરીર પણ માતાની કુક્ષિમાં આવ્યા પછી જીવે બનાવ્યું છે અને મૃત્યુ પામતાં અહીં જ રહે છે. તેથી આ જીવનું કંઈ જ નથી. છતાં તેમાં “આ મારું આ મારું - આવી જે બુદ્ધિ” તે અવિદ્યા કહેવાય છે. તેને જ ભ્રાન્તબુદ્ધિ-ભ્રાન્તિવાળી બુદ્ધિ કહેવાય છે. પરંતુ શુદ્ધાત્મતત્ત્વમાં જે તત્ત્વબુદ્ધિ થાય છે તે જ વિદ્યા કહેવાય છે. શુદ્ધ આત્માનું રત્નત્રયીમય જે સ્વરૂપ છે તેમાં જ નિત્યતાની બુદ્ધિ, પવિત્રતાની બુદ્ધિ અને આત્મીયતાની જે બુદ્ધિ કરવી તે વિદ્યા કહેવાય છે. સદબુદ્ધિ પણ કહેવાય છે. કારણ કે સાચું તે જ છે. રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપ ભલે કર્મોથી અવરાયેલું હોય તો પણ આત્માની સાથે અનાદિનું છે અને અનંતકાળ રહેવાનું છે માટે નિત્ય છે. આત્માનું પોતાનું ગુણાત્મક નિર્મળ સ્વરૂપ છે માટે પવિત્ર છે અને આત્મામાં જ રહેલું છે, આત્મામાં જ રહેવાનું છે માટે આત્મીય છે. તેથી આવા શુદ્ધ સ્વરૂપને નિત્ય-પવિત્ર અને મારું માનવું તે જ સાચી વિદ્યા છે, સર્વિદ્યા છે. ___ अत्र नित्यत्वं तु उत्पादव्ययध्रुवरूपेऽपि अर्पितानर्पितप्रकारेण द्रव्यास्तिककुटस्थनित्यता ज्ञेया, इयं विद्या परमार्थसाधनपट्वी योगाचार्यैः-योगः-ज्ञानश्रद्धानचरणात्मकमोक्षोपायः, तस्य आचार्या:-तदाचरणकशलाः, तैः प्रकीर्तिता । अत्र भेदज्ञानं साधनम् । उक्तञ्चाध्यात्मबिन्दौ ये यावन्तो ध्वस्तबन्धा अभूवन्, भेदज्ञानाभ्यास एवात्र मूलम् । नूनं येऽप्यध्वस्तबन्धा भ्रमन्ति, तत्राभेदज्ञानमेवेति विद्मः ॥ (જ્ઞાનામાવ પવીત્ર વીનમ્ III) સંસારવર્તી તમામ વસ્તુઓ દ્રવ્યાર્થિકનયથી (દ્રવ્ય સ્વરૂપે) અનાદિકાળથી છે અને અનંતકાલ રહેવાની છે માટે નિત્ય છે. છતાં પર્યાયાર્થિકનયથી (પર્યાયસ્વરૂપે) પ્રતિસમયે
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy