________________
જ્ઞાનસાર
૩૮૮
મૌનાષ્ટક - ૧૩ ઉપયોગવાળું વિદ્વત્તા ભરેલું જે જ્ઞાન છે તે ભેદજ્ઞાન કહેવાય છે અથવા તેને અપવાદજ્ઞાન પણ કહેવાય છે.
આ કારણથી આ આત્મા જ્યાં સુધી સર્વ પ્રકારનાં દ્રવ્યશ્રુતજ્ઞાનાત્મક શાસ્ત્રાક્ષરોના જ્ઞાનથી સંપન છે. શાસ્ત્રોના આલંબનવાળું જ્ઞાન છે અને તેના કારણે દ્રવ્ય એવા શુભભાવોના આલંબનવાળો જીવ છે ત્યાં સુધી તે ભેદજ્ઞાની કહેવાય છે અને જ્યારે પોતાના શ્રુતજ્ઞાનાત્મક અનુભવવાળો બને છે અને તેના દ્વારા કેવલ આત્માને યથાર્થ રીતે જાણે છે, તેની જ શુદ્ધતા લક્ષ્યમાં આવી જાય છે. બાહ્ય શુભભાવોના આલંબનથી પણ જ્યારે પર બની જાય છે ત્યારે તે અભેદજ્ઞાની કહેવાય છે. સમયપ્રાકૃત (શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત સમયસાર) નામના ગ્રંથમાં કહ્યું છે કે –
जो हि सुदेणभिगच्छदि, अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो, भणंति लोगप्पदीवयरा ॥९॥ जो सुदनाणं सव्वं, जाणदि सुदकेवलिं तमाहु जिणा । णाणं अप्पा सव्वं, जम्हा सुदकेवली तम्हा ॥१०॥ आत्मस्वरूपं च प्राभृते - अहमिक्को खलु सुद्धो, णिम्ममओ नाणदसणसमग्गो । તષ્ઠિ તિવ્રત્તો, સળે રે સ્વયં મિ ૭રૂાા (સમયસાર ગાથા-૭૩) निर्मलनिष्कलङ्कज्ञानदर्शनोपयोगलक्षणः आत्मा, तज्ज्ञानं ज्ञानम् । उक्तञ्च
જે જ્ઞાની પુરુષ અનુભવાત્મક ભાવશ્રુત વડે કેવલ શુદ્ધ એવા આ આત્માને જાણે છે તેને લોકમાં શ્રેષ્ઠ પ્રદીપ તુલ્ય એવા ઋષિમુનિઓ (જિનેશ્વર ભગવંતો) નિશ્ચયથી શ્રુતકેવલી કહે છે અને જે જ્ઞાની પુરુષ સર્વ દ્રવ્યશ્રુતને (દ્વાદશાંગીને-અર્થાત્ સર્વશાસ્ત્રોને) જાણે છે તેના દ્વારા સર્વ દ્રવ્યોને જે આત્મા જાણે છે, તેને પણ જિનેશ્વરભગવંતો વ્યવહારથી શ્રુતકેવલી કહે છે. ૯-૧૦ll.
અનુભવાત્મક ભાવકૃત વડે આત્માના શુદ્ધ નિર્મળ સ્વરૂપને જે જાણે છે તેની જ લગની જેને લાગી છે. તેવા પ્રકારના શુદ્ધ આત્મદ્રવ્યને પ્રાપ્ત કરવા જે પ્રયત્નશીલ છે. બીજા દ્રવ્યોને તથા તેના સ્વરૂપને પણ જાણે છે છતાં તેમાં શેયભાવ માત્ર છે. અને આત્મતત્ત્વને જાણવામાં ઘણો જ ઉપાદેયભાવ જેને છે તે નિશ્ચયથી શ્રુતકેવલી કહેવાય છે. તથા દ્વાદશાંગીના આધારે અથવા ગીતાર્થ ગુરુભગવંતોએ બનાવેલાં શાસ્ત્રોરૂપી દ્રવ્યશ્રુતના આધારે જે જ્ઞાનીને