SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર ૩૮૪ મૌનાષ્ટક - ૧૩ શુભયોગને ઉપચારે ચારિત્ર કહેવાય છે. તે વાસ્તવિક ચારિત્રગુણ નથી, કારણ કે આશ્રવ સ્વરૂપ હોવાથી આત્માના ગુણાત્મક નથી પણ અશુભપ્રવૃત્તિથી અટકાવનાર છે તથા જ્ઞાનગુણ સાધવામાં સાનુકુળ સામગ્રી રૂપ છે માટે ઉપચારે ચારિત્ર કહેલ છે. આત્મા તો કેવળ જ્ઞાનમય છે, આચરણા આચરવા રૂપ ચારિત્રવાળો નથી, પણ જ્ઞાનગુણની રમણતારૂપ ચારિત્રગુણવાળો છે. ૩ यतः प्रवृत्तिर्न मणौ, लभ्यते वा न तत्फलम् । अतात्त्विकी मणिज्ञप्ति-र्मणिश्रद्धा च सा यथा ॥४॥ ગાથાર્થ :- મણિ સંબંધી મિથ્યાજ્ઞાનથી મણિ તરીકે જ્યાં પ્રવૃત્તિ ન થાય અથવા તેના ફળની પ્રાપ્તિ ન થાય, તે મણિનું જ્ઞાન અને “આ મણિ છે” એવી શ્રદ્ધા જેમ અતાત્ત્વિક છે. તેમ મિથ્યાજ્ઞાન આત્માને ફળ આપનાર બનતું નથી. II૪ ટીકા :- “યતઃ પ્રવૃત્તિપિતિ” શુદ્ધતાને નિષ્પક્ષત્નત્યં દ્રઢતિ યથા મતાત્ત્વિ मणिज्ञप्तिः-अमणौ मण्यारोपा अतात्त्विकी ज्ञप्तिः-ज्ञानं तत्त्वरहितम्, अमणौ मणिश्रद्धा, तस्मिन् तत्फलं न लभ्यते-न प्राप्यते यतः-यत् मणेः सकाशात् मणिप्रवृत्तिः विषापहारादिका न भवतीत्यर्थः । उक्तञ्चोत्तराध्ययने - पुल्लेव मुट्ठी जह से असारे, अयंतिए कूडकहावणे वा । राढामणी वेरुलियप्पगासे, अमहग्घओ होइ हु जाणएसु ॥४२॥ (ઉત્તરાધ્યયન અધ્યયન ૨૦ ગાથા-૪૨) Iકા વિવેચન :- જે ખરેખર રત્નમણિ હોય નહીં પરંતુ તેની ચમકમાત્ર જ હોય, તેવી ચમકમાત્ર દેખીને કોઈ પુરુષે તેને રત્નમણિ માની લીધો. તો તેવા પ્રકારના રત્નમણિના અશુદ્ધ જ્ઞાનથી કંઈ રત્નનું ફળ પ્રાપ્ત થતું નથી. આ વાત ચોક્કસ કરતાં સમજાવે છે કે જે અતાત્ત્વિક મણિનું જ્ઞાન છે, અર્થાત્ જે રત્નમણિ નથી, પરંતુ ચમકવાળો પત્થર અથવા કાચનો ટુકડો જ છે, પરંતુ તેવા પ્રકારના ચમકવાળા અમણિમાં એટલે કે કાચના ટુકડામાં આ મણિ છે એવું જે ભ્રમાત્મક જ્ઞાન કરવામાં આવે છે. અર્થાત્ અમણિમાં મણિનો આરોપ કરવામાં આવે છે તે અતાત્ત્વિક જ્ઞાન કે જે તત્ત્વરહિત છે તે જ્ઞાન, તથા અમણિમાં (એટલે કે કાચાદિના ટુકડામાં) મણિપણાની શ્રદ્ધા (જોરદાર માન્યતા) આ બન્ને મિથ્યાજ્ઞાન અને મિથ્યાશ્રદ્ધા હોતે છતે તેનું કંઈ ફલ પ્રાપ્ત કરી શકાતું નથી. કારણ કે તેવા પ્રકારના આરોપિત (કલ્પિત-અવાસ્તવિક) મણિથકી વિષાપહારાદિક ફળવાળી મણિપણાની પ્રવૃત્તિ થતી નથી.
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy