SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩ श्रीजिनभद्रक्षमाश्रमणैः । अत एव आत्मा-जीवः कर्तारूपः । आत्मना-आत्मीयज्ञानवीर्येण करणभूतेन, आत्मानमनन्तास्तित्व-वस्तुत्व-द्रव्यत्व सत्त्व-प्रमेयत्व-सिद्धत्व धर्मकदम्बकोपेतं कार्यत्वापन्नम, आत्मनि आधारभूते अस्तित्वाद्यनन्तधर्मपर्यायपात्रभूते जानाति । सा इयं जानातिरूपा प्रवृत्तिः, सा एव रत्नत्रये-सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणे ज्ञप्तिः रुचिः आचारः = भासननिर्धाराचाररूपः, एतेषामेकता-अभेदपरिणतिः मुनेरस्ति, इत्यनेन आत्मना आत्मानं ज्ञात्वा तद्रुचिः तदाचरणं मुनेः स्वरूपम् । | વિવેચન :- આત્મા કોઈપણ પ્રકારનું કાર્ય કરે છે ત્યારે કરણ બે પ્રકારનાં હોય છે. આત્માથી અભિન અને આત્માથી ભિન. જેમ કુંભાર ઘટ બનાવે, સુથાર બારી-બારણાં બનાવે, સોની દાગીના બનાવે. આ ત્રણે ઉદાહરણોમાં કુંભારમાં, સુથારમાં અને સોનીમાં તે તે કાર્ય કરવાની કલાની જે જાણકારી છે, જ્ઞાન છે, તે અભિન્નકરણ કહેવાય છે. કારણ કે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને દંડ-ચક્રાદિ જે જે બાહ્ય-સાધનસામગ્રી છે તે આત્માથી કથંચિત્ ભિન્ન કારણ છે માટે ભિન્નકરણ કહેવાય છે. વસ્તુના સ્વરૂપને જાણવામાં જ્ઞાનવર્યાદિ જે જે ગુણો છે તે આત્માથી કથંચિત્ અભિન્ન છે, તાદામ્ય સંબંધવાળા છે. કારણ કે તેઓની વચ્ચે ગુણ-ગુણીભાવ છે. આ રીતે આત્માની સાથે અભેદભાવે કરણરૂપે રહેલા જ્ઞાનાદિ ગુણોને જાણવાનું કાર્ય કરનાર અથવા અભેદ ભાવે કરણરૂપે રહેલા જ્ઞાનાદિગુણો દ્વારા ઘટ-પટાદિ વસ્તુતત્ત્વને જાણવાપણાનું કાર્ય કરનાર આત્મા જ છે. કારણ કે આત્મા જ ચેતન છે. જે ચેતન હોય તે જ જ્ઞાયકતા ધર્મવાળો હોય છે. માટે જ્ઞાયકતા ધર્મ આત્માનો જ છે. જ્ઞાનાદિ ગુણોનો કર્તા આત્મા જ છે. માટે આત્મા કર્તા છે. આત્મામાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્યાદિ ગુણોનાં જે જે કાર્યો થાય છે તે તે કાર્યોમાં તે તે કાલે આત્મા ઉપાદાનકારણસ્વરૂપે સમજવો. કારણ કે જાણકારી થવાપણું આત્મામાં જ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર આ છએ કારકચક્ર આત્મામાં છે માટે આત્મા ષકારકમય છે. ૧) જ્ઞાનાદિ ગુણોને કરનારો આત્મા જ છે. આત્મા જ વસ્તુ-સ્વરૂપને અને આત્મતત્ત્વને જાણે છે. માટે આત્મા એ જ્ઞાનાદિ ગુણોનો કર્તા કારક છે. (૨) આત્માને આત્મતત્ત્વ જ જાણવાનું કાર્ય કરવાનું છે. કારણ કે એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આત્મતત્ત્વ એ જ સાચું લક્ષ્ય છે, પ્રાપ્તવ્ય છે. બાકીનાં સર્વે પણ ભોગનાં કાર્યો મોહની પરાધીનતાથી થાય છે. તે આત્માનું પોતાનું કાર્ય નથી. માટે આત્મતત્ત્વ જાણવું
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy