________________
જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩
૩૭૫ જીવો તે શુદ્ધ સ્વરૂપાત્મક સાધ્યની અતિશય નિકટ પહોંચે છે અને એવંભૂતનયથી તે જ શુદ્ધસ્વરૂપનો સિદ્ધાવસ્થામાં પૂર્ણપણે આવિર્ભાવ થાય છે. આ રીતે ચોથા ગુણઠાણાથી સાધ્ય તરીકે જેનો પાકો નિર્ણય કરાયો છે તે જ સાધ્ય ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં ભિન્ન ભિન્ન નયોની અપેક્ષાએ પ્રાપ્ત કરાય છે માટે સમ્યકત્વ અને મુનિપણાનો અભેદ છે. સમ્યત્વકાલે જે સાધ્ય છે તે જ સાધ્ય મુનિકાલે પણ વર્તે છે અને મુક્તિદશામાં પણ તે જ સાધ્ય સિદ્ધપણે વર્તે છે. આ બાબતમાં આચારાંગસૂત્રમાં કહ્યું છે કે –
आचाराड़े-जं सम्मं ति पासहा तं मोणं ति पासहा, जं मोणं ति पासहा तं सम्मं ति पासहा । ण इमं सक्कं सिढिलेहिं अदिज्जमाणोहिं गुणासाएहिं वंकसमायारेहि पमत्तेहिं गारमावसंतेहिं । मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं पंतं लूहं सेवंति વીર સપૂત્તસિt I (આચારાંગ વ્યુત-૧, અધ્ય-પ, ઉદ્દેશો-૩, સૂત્ર-૧૫૫) તથા पञ्चास्तिकायेषु जीवः चेतनालक्षणः, तत्र स्वीयात्मबद्धोऽपि विभावग्रस्तोऽपि सत्तया निर्मलानन्दी निर्धार्य तदावरणविगमाय मोहहेतून् द्रव्याश्रवान् हेयतयोपलक्षितान् हेयतया करोतीति सम्यक्त्वं मुनिस्वरूपम् ॥१॥
જે પાપકર્મના વર્જનને યથાર્થ રીતે નિર્ધારિત કરે છે એટલે કે પાપકર્મને હેય તરીકે સાચા મનથી જાણે છે તે જ તેનાથી દૂર રહેવા રૂપ મુનિભાવને જાણી શકે છે અને જે સાચા મુનિભાવને જાણે છે તે જ તે પાપકર્મવર્જનને યથાર્થ રીતે નિર્ધારિત કરી શકે છે. દાખલા તરીકે જે મનુષ્યો સર્પને, વિષને, કંટકાદિને યથાર્થપણે નિર્ધારિત કરે છે, યથાર્થપણે જાણે છે તે જ મનુષ્યો સર્પથી, વિષથી અને કંટકાદિથી બચી શકે છે તેમ અહીં પણ જાણવું. મોહદશા ઉપર કંટ્રોલ આવે, રાગાદિ ભાવો જિતાય તો જ આત્મતત્ત્વ સમજાય તેવું છે. સામાન્ય મોહાધીન જીવો વડે આ તત્ત્વ સમજી શકાય તેવું નથી, તો પછી તે તત્ત્વ આચરવાની વાત તો ઘણી દૂર જ રહે છે. માટે જ કહે છે કે –
(સિઢિલ્લેસ્ટિં) (શિથિલ) સંયમ અને તપાદિ અનુષ્ઠાન આચરવામાં મન્દવીર્યવાળા જીવો વડે, (વિમાદિં) પુત્ર, સ્ત્રી, ધન આદિ પ્રત્યેના રાગાદિથી આર્દીભૂત કરાયેલા (અલ્પવિયોગકાલે પણ આંસુ સારનારા) જીવો વડે (ગુણ/સાર્દિ) શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ આ પાંચ પુદ્ગલદ્રવ્યના જે ગુણો છે તે ગુણોના આસ્વાદનમાં ડુબેલા જીવો વડે, (વંસમાયાર્દિ) વક્રતાવાળું (માયાવી) આચરણ કરનારા જીવો વડે (૫મત્તેટિં) વિષય અને કષાય રૂપ પ્રમાદમાં આસક્ત જીવો વડે તથા (ગરમાવતેહિ) ઘરમાં વસતા (ગૃહસ્થ) જીવો વડે પાપકર્મોના વર્જન રૂપ મૌનપણું પ્રાપ્ત કરવું અને પાલન કરવું તે અશક્ય છે.