________________
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
ટીકા :- “નિષ્ઠાસનીયા કૃતિ', વિરુષા-પણ્ડિતેન, આત્મસમાધિસાધનોદ્યતેન સ્પૃહા-પરાશા, વિત્તĮહા-મનોનિòતનાત્, વિિનાસનીયા-પૂરી રળીયા, સ્પૃહા હિં लोभपर्यायः, लोभश्च कषायपरिणामः तद्विगम एव श्रेयान् । या स्पृहा अनात्मरतिचाण्डालीसङ्गम्, अनात्मानः- परभावाः तेषु रतिः - रमणीयतापरिणतिः एव चाण्डाली, तस्याः सङ्गमङ्गीकरोति, अतः स्पृहा त्याज्या, उक्तञ्च
૩૬૦
જ્ઞાનસાર
વિવેચન :- પરમાર્થતત્ત્વના અભિલાષુક અને આત્મતત્ત્વની સમાધિની સાધના સાધવામાં ઉદ્યમશીલ બનેલા એવા પંડિત પુરુષે સ્પૃહાને એટલે પર પાસેથી વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાને અર્થાત્ આશાને પોતાના ચિત્તરૂપ (નિકેતન =) ઘરમાંથી બહાર કાઢવી જોઈએ - દૂર કરવી જોઈએ. કારણ કે આ સ્પૃહા એ લોભનો જ પર્યાય છે. (લોભનું જ રૂપાન્તર છે) અને લોભ એ કષાયોનો પરિણામ છે. તેથી લોભનો (આશાનો-સ્પૃહાનો) ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર માર્ગ છે. કારણ કે આ સ્પૃહા અનાત્મદશા રૂપી ચંડાલણીની સોબત કરનારી છે. અનાત્મદશા એટલે પરભાવદશા અર્થાત્ વિભાવદશા, તેમાં પ્રીતિ કરવી, વિભાવમાં જ રતિ કરવી એ રૂપ જે ચંડાલણી છે, તેનો સંગ કરનારી આ સ્પૃહા છે જેમ કોઈ એક પુરુષની પત્ની પરપુરુષને પ્રેમ કરતી હોય તો તે વ્યભિચારિણી પત્નીને ઘરમાંથી બહાર કાઢવી એ જ કલ્યાણકારી તત્ત્વ છે. કારણ કે જો તે પુરુષ તેમ ન કરે તો કામાન્ય એવી તે સ્ત્રી તરફથી હત્યાનાં દુ:ખો આવવાનો પણ સંભવ છે. તેની જેમ જે સ્પૃહા પરભાવદશાની પ્રીતિ કરે છે તે સ્પૃહા આત્માને અનંત સંસારમાં ભટકાવે છે. માટે તે સ્પૃહા ચિત્તમાંથી દૂર કરવા જેવી છે. આ કારણે સ્પૃહા ત્યાજ્ય છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે -
जे परभावे रत्ता, मत्ता विसयेसु पावबहुलेसु । આસાપાનિવદ્ધા, મમતિ ઘડામદારણે શા
જે આત્માઓ પરભાવમાં રક્ત છે. પાપબહુલ એવા (પાંચ) વિષયોમાં મસ્ત છે અને આશા રૂપી પાશથી (જાળથી) બંધાયેલા છે તે આત્માઓ ચારગતિ રૂપી મહા અરણ્યમાં ભટક્યા જ કરે છે. ॥૧॥
परभाववृत्तिरेव विभावः, आत्मशक्तिध्वंसनमुद्गर:, अतो निरस्तपराशापाशा निर्ग्रन्थाः स्वरूपचिन्तनस्वरूपरमणानुभवलीनाः पीनाः तत्त्वानन्दे रमन्ते स्वरूपे, विरमन्ति विषयविरूपभवकूपपाततः ॥४॥
પરભાવદશામાં વર્તવું એ જ વિભાવદશા છે. આ વિભાવદશા જ આત્માની શુદ્ધશક્તિનો ધ્વંસ કરવામાં મુગર (ઘણ) સમાન છે. ગુજરાતી એક સજ્ઝાયમાં કહ્યું છે કે -