________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૩૯
जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे । एवं पावाई मेहावी, अज्झप्पेणं समाहरे ॥१६॥
(સૂત્રકૃતાંગ-૧, અધ્યયન-૮, ગાથા-૧૬) इत्यनेन भावनाज्ञानं तत्त्वैकत्वानुभवान्वितं सम्यग्ज्ञानम्, तेन युक्तो न लिप्यते, सर्वः सत्क्रियाभ्यासः शुद्धसिद्धात्मस्वरूपाविर्भावसाध्यतत्त्वज्ञानानुभवयुक्तस्य हिताय મવતિ |
ઉપરની ચર્ચાથી સમજાશે કે ધાર્મિક ક્રિયાનુષ્ઠાનોમાં જે ઓતપ્રોત હોય, લયલીન હોય, ક્રિયાઓને જ ધર્મ માની લીધો હોય પરંતુ આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ એમ આહારાદિ ચાર સંજ્ઞા, તથા ક્રોધ, માન, માયા અને લોભ એમ ક્રોધાદિ ચાર સંજ્ઞા તથા ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા, વિષયસુખસંજ્ઞા, દુઃખસંજ્ઞા, શોક-વિતિગિચ્છા અને મોહ સંજ્ઞા આ નામવાળી બીજી સાત સંજ્ઞા એમ કુલ પન્નર સંજ્ઞાઓપૂર્વક જો આ ધર્મની પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિને ધર્મ કહેવાતો નથી. મોહને પોષનારી, મોહને વધારનારી, કે મોહદશાપૂર્વકની કરાયેલી ધર્મપ્રવૃત્તિ તે ધર્મપ્રવૃત્તિ નથી. એમ આચારાંગસૂત્રની ટીકામાં સ્પષ્ટપણે કહેલું છે. તથા સમજાય પણ છે કે રાગાદિ કષાયો પૂર્વકના કલુષિત ભાવ રાખીને કરાયેલો ધર્મ એ ધર્મ નથી. માટે આવી ક્રિયા કરનારો આત્મા ધર્મક્રિયા કરવા છતાં પણ કર્મોથી લેપાય છે.
પરંતુ ભાવનાજ્ઞાનવાળો આત્મા એટલે કે આત્મતત્ત્વની જ અનુપ્રેક્ષા કરવાવાળો આત્મા સમ્યજ્ઞાનમાં મગ્ન બન્યો છતો સંવેગ-નિર્વેદ પરિણામવાળો, ઉત્તમ આત્મા શરીર અને સંજોગની પ્રતિકૂળતા આદિ બીજા બાધક કારણો હોવાથી કદાચ ધર્મક્રિયાનાં અનુષ્ઠાનો ન કરતો હોય અર્થાત્ તેવા પ્રકારની તીવ્રતર વીર્યની પ્રવૃત્તિ ધર્મકાર્યમાં ન વાપરતો હોય તો પણ નવાં નવાં કર્મોથી તે લપાતો નથી. નવાં કર્મો બાંધતો નથી. સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) નામના સૂત્રમાં કહ્યું છે કે –
બાલજીવો (અજ્ઞાની જીવો) ધર્માનુષ્ઠાનોની ક્રિયા કરવા છતાં પણ મિથ્યાત્વાદિ દોષો હોવાથી તે ધર્મક્રિયા વડે કર્મોનો ક્ષય કરતા નથી. પણ મિથ્યાત્વાદિ દોષો આકરા હોવાથી કર્મો બાંધે છે. પરંતુ વૈદ્યો જેમ ચિકિત્સા વડે રોગોનો નાશ કરે છે તેમ વીરપુરુષો મમ્મM/ બહુ-ધર્માનુષ્ઠાન ન કરવા છતાં પણ આશ્રવોનો નિરોધ માત્ર કરવા વડે કર્મોનો ક્ષય કરે છે. તેથી હિતાહિતની પ્રાપ્તિ અને પરિહારને જાણવાવાળા (મેહવિ) = જ્ઞાની પંડિત પુરુષો લોભમય એવો જે પરિગ્રહ છે, તેનાથી રહિત થયા છતા અથવા લોભ અને ભય એમ