SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ નિર્લેપાષ્ટક- ૧૧ જ્ઞાનસાર નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવના ભેદથી તેના ચાર ભેદો છે. જીવ અથવા અજીવનું “નિર્લેપ” આવું નામ પાડવું, નિર્લેપ આવા પ્રકારના નામનો અભિલાપ કરવો તે નામનિર્લેપ. સાંસારિક ભાવોથી અલિપ્ત એવા જે નિર્ચન્દમુનિ હોય છે, તે નિરૈન્યમુનિની છબી-પ્રતિમા આકારાદિ તે સ્થાપનાનિર્લેપ કહેવાય છે. દ્રવ્યનિર્લેપના આગમથી અને નોઆગમથી બે ભેદ છે, તથા નોઆગમના જ્ઞશરીર-ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત એમ ત્રણ ભેદ છે. તેમાં કાંસાનાં પાત્ર વગેરે, જે અન્ય દ્રવ્યથી લેવાતાં નથી તે તદ્ગતિરિક્ત દ્રવ્યનિર્લેપ નામનો ત્રીજો ભેદ જાણવો. બાકીના જ્ઞશરીર અને ભવ્યશરીર આદિ ભેદો પૂર્વની જેમ સમજી લેવા. જીવ અને અજીવના જે ભેદો છે તે ભાવથી નિર્લેપ જાણવા. અજીવના ભેદમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયાદિ જાણવા. આ સઘળાં દ્રવ્યો એક જ આકાશક્ષેત્રમાં સાથે રહે છે છતાં ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય નથી બનતું અને અધર્મદ્રવ્ય ધર્મદ્રવ્ય નથી બનતું, એવી જ રીતે અધર્મદ્રવ્ય આકાશદ્રવ્ય નથી બનતું અને આકાશદ્રવ્ય ધર્મ-અધર્મ નથી બનતું અન્ય દ્રવ્યસ્વરૂપે નથી બનતું તે બધા ભાવનિર્લેપના ભેદ જાણવા. આ જીવ અન્ય દ્રવ્ય સાથે એટલે કે કર્મ અને શરીર સાથે લેપાયેલો છે મોહના ઉદયથી અન્ય પદાર્થોની સાથે મારાપણાના પરિણામથી લેપાયેલો છે. તેથી સમસ્ત એવી વિભાવદશાની આસક્તિથી રહિત જ્યારે બને છે. મુક્તિગત શુદ્ધ આત્મા થાય છે ત્યારે ભાવનિર્લેપ કહેવાય છે. આ પ્રમાણે ચાર નિક્ષેપા સમજાવ્યા. હવે આ નિર્લેપતા ઉપર સાત નયો સમજાવાય છે. नयैस्तु द्रव्यपरिग्रहादिष्वलिप्तः नैगमेन, सङ्ग्रहेण जीवो जात्या अलिप्तः, व्यवहारेणालिप्तो द्रव्यतस्त्यागी', शब्दनयेन सम्यग्दर्शनसम्यग्ज्ञानपरिच्छिन्नपरभावपरित्यागी तन्निमित्तभूतानि धनस्वजनोपकरणानि तेष्वनासक्तः, समभिरूढेन अर्हदादिनिमित्तैर्बहुतरैः परिणमनैरलिप्तत्वात् क्षीणमोहो जिनः केवली चालिप्तः, एवम्भूतेन सिद्धः सर्वपर्यायैरलिप्तत्वात् । (૧) નૈગમનય : દ્રવ્યભૂત ધન-ધાન્ય આદિ બાહ્ય-પરિગ્રહની અંદર જે આત્મા એકરૂપ નથી તે નૈગમનયથી અલિપ્ત. ૧. આ પાઠમાં શ્રી રમ્યરેણુસંપાદિત પુસ્તકમાં કે પ્રતોમાં ઋજુસૂત્રનય લખેલો દેખાતો નથી. પરંતુ જ્યાં ક્રમશઃ સાત નયો કહેવાય છે ત્યાં ઋજુસૂત્રનય હોવો જોઈએ. લહીઆઓથી લખવો છુટી ગયો હશે એમ માનીને લખીએ છીએ કે ઋગસૂત્રે નિર્લેપપરિપામવાનું ત્યાગી. જેમ વ્યવહારનયથી દ્રવ્યથી ત્યાગીને નિર્લેપ કહેવાય છે તેમ ઋજુસૂત્રનયથી નિર્લેપતાના પરિણામવાળા ત્યાગીને નિર્લેપ કહેવાય.
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy