SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ તૃત્યષ્ટક - ૧૦ જ્ઞાનસાર તેઓના મનમાં વિષયભોગના વિચારોને બદલે તત્ત્વના જ વિચારો પ્રવર્તતા હોય છે. વાણીમાં જ્યાં જાય ત્યાં અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ત્યારે આત્મતત્ત્વના ગુણો પ્રાપ્ત કરવાની અને તેના સંબંધી જ ધર્મચર્ચા કરતા હોય છે. આ રીતે આત્મતત્ત્વની સાથે એકતામય ધ્યાનરૂપી અમૃતના જ મીઠા ઓડકારોની પરંપરા ચાલતી હોય છે. ક્યાં માઠા ઓડકારોની પરંપરા? અને ક્યાં મીઠા ઓડકારોની પરંપરા? ક્યાં વિષયોના તરંગો રૂપી વિષના ઓડકાર? અને ક્યાં તત્ત્વની એકાગ્રતા રૂપ અમૃતના ઓડકાર? નિરામય (એટલે કે બાહ્ય અસાતાદિ રોગો અને અત્યંતર રાગ-દ્વેષાદિ મોહના રોગોથી રહિત) અને મોહનીયાદિ ઘાતી કર્મોનો વિશિષ્ટ ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવ આવવાથી અત્યન્ત નિર્મળ એવા પરમ આત્મતત્ત્વનો અનુભવ થવાથી જે અખંડઅપરિમિત તૃપ્તિ થાય છે તેનું આ લક્ષણ છે. આત્મતત્ત્વની વિચારણા-આત્મતત્ત્વનું જ જ્ઞાન અને આત્મતત્ત્વનું જ ધ્યાન એમ તત્ત્વજ્ઞાન રૂપી અમૃતના જ ઓડકારોની પરંપરાની વૃદ્ધિ થાય છે. વિષયભોગોની ચર્ચા વિષતુલ્ય છે અને તત્ત્વચર્ચા અમૃતતુલ્ય છે. પુદ્ગલાનંદી જીવો વિષયભોગની કથા-વાર્તા રૂપી વિષમય વાતાવરણમાં જીવન બરબાદ કરે છે અને આત્માનંદી જીવો આત્મતત્ત્વની ચર્ચા રૂપી અમૃતમય વાતાવરણમાં જીવન સફળ કરે છે. llll सुखिनो विषयातृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ॥८॥ ગાથાર્થ - ઈન્દ્ર અને કૃષ્ણ આદિ રાજાઓ વિષયોથી અતૃપ્ત થયા છતા ક્યારેય સુખી નથી. પરંતુ આ લોકમાં રાગાદિ કષાયો વિનાના કેવળ એક મુનિ જ જ્ઞાનદશામાં તૃપ્ત થયા છતા સુખી છે. ટા ટીકા :- “મુશ્વિનો તિ', હો ! રૂતિ સર્વે, રૂદ્રોપેન્દ્રા:, રૂ-શ उपेन्द्रः-कृष्णः इत्यादयः अनेके न सुखिनः-सुखमयाः न । कथम्भूता इन्द्रोपेन्द्रादयः ? विषयातृप्ताः-विषयैः मनोजेन्द्रियसंयोगैः, अतृप्ताः अनेकवनिताविलासषड्सग्राससुरभिकुसुमवासरम्यावासादिभिः मृदुशब्दाकर्णनवर्ण्यवर्णावलोकनैः सङ्ख्येयासङ्ख्येयकालभोगैः अतृप्ताः न च एते तृप्तिहेतवः । असदारोप एवायं लोके-चतुर्दशरज्ज्वात्मके अनन्तसकर्मजीवात्मके एकः भिक्षुः आहारागृध्नः संयमयात्रार्थं भिक्षणशीलः નિષ્પરિક પુરવી ગતિ | જ્ઞાનં-સ્વરૂપાવવોથઃ, તેર તૂત, નિરઃ
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy