SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી તૃપ્યષ્ટક - ૧૦ ૩૦૭ ટીકા :- “પુત્રેરિતિ'', પુત્રે-શરીરધનવસન મોગનગનાલિમિ:, પુના:शरीरादयः, पुद्गलोपचयरूपां तृप्तिं यान्ति-पुद्गलोपचारवृद्धिं यान्ति । पुनः आत्माअमूर्तज्ञानानन्दरूपः आत्मना-आत्मगुणपरिणामेन ज्ञानचरणानन्दादिना तृप्तिं याति, स्वरूपानुभवरसिकानां स्वरूपास्वादनेन तृप्तिः । पुनः उपदिशति-ज्ञानिनः अनेकान्तानन्तस्वपरपदार्थपरीक्षादक्षस्य तद्भ्रान्तिजन्याभिमानं परतृप्तिसमारोपः, परैःपुद्गलैः तृप्तिः-परतृप्तिः, परतृप्तौ समारोपः-आत्मतृप्तिमान्यतारूप: न युज्यते-न ઘટતે વિવેચન :- પુલો વડે પુદ્ગલદ્રવ્યો જ પુષ્ટિ-વૃદ્ધિ પામે છે. શરીર, ધન, વસ્ત્ર, ભોજન અને સ્વજનાદિ વડે શરીર, ઈન્દ્રિયો વગેરે પુષ્ટિ પામે છે. ભોજન કરવાથી શરીર અને શરીરની ધાતુઓ પુષ્ટિ પામે છે, વસ્ત્રાદિથી શરીર શોભાને પામે છે, સ્વજનાદિ પણ શરીરની જ ચિંતા અને સારસંભાળ કરનારાં હોય છે. આમ પુદ્ગલો સાથે બીજાં પુદ્ગલો મળીને નાના સ્કંધમાંથી મોટા સ્કંધ બનતા હોય છે. માટે પુદ્ગલોની સાથેનું મીલન પુદ્ગલોનું જ હોય છે અને તે મીલન પુદ્ગલમાં જ શોભા આપનારું છે. આત્માથી પુદ્ગલદ્રવ્ય અને પુગલદ્રવ્યથી આત્મદ્રવ્ય ભિન્ન હોવાથી જેમ ધર્માસ્તિકાયનું અધર્માસ્તિકાયની સાથે મીલન થતું નથી તેમ આત્મદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યનું મીલન સંભવતું નથી. શોભારૂપ નથી, પુષ્ટિવૃદ્ધિ કરનારું નથી. તથા આત્મતત્ત્વ કે જે અમૂર્ત દ્રવ્ય છે અને જ્ઞાનના આનંદસ્વરૂપ છે તે આત્માને તો આત્મતત્ત્વ વડે એટલે આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તેના આનંદ સ્વરૂપ પરિણામ વડે તૃપ્તિ (પુષ્ટિ-વૃદ્ધિ) થાય છે. આત્મસ્વરૂપના રસિક જીવોને આત્મસ્વરૂપના આસ્વાદન વડે જ તૃપ્તિ થાય છે. પુદ્ગલના સંયોગ વડે જે તૃપ્તિ થાય છે તે પુદ્ગલાનંદી જીવોને જ થાય છે. તત્ત્વજ્ઞજીવોને તેનાથી તૃપ્તિ થતી નથી. ઉપરોક્ત વાતના સાર સ્વરૂપે ગ્રંથકારશ્રી આ આત્માને ઉપદેશ આપે છે કે અનેકાન્તવાદપૂર્વક (સ્યાદ્વાદ શૈલિથી) અનંત એવું જે સ્વપદાર્થનું સ્વરૂપ અને અનંત એવું જે પરપદાર્થનું સ્વરૂપ, તે બને સ્વરૂપોની યથાર્થ રીતે પરીક્ષા કરવાની વિધિમાં દક્ષ એવા જ્ઞાની આત્માને પરપદાર્થને (પદ્ગલિક સુખોને અને સ્નેહીજનોને) પોતાના માનવારૂપ તેવા પ્રકારની ભ્રાન્તિજન્ય અભિમાન (ખોટી માન્યતામય અજ્ઞાનતાનું અભિમાન) કરવું ઘટતું નથી. અર્થાત્ ઉચિત નથી. એટલે કે શોભા આપનારું નથી આ બ્રાન્તિજન્ય અભિમાનને જ પરતૃપ્તિસમારોપ કહેવાય છે. પર એટલે કે પુગલાદિ જે પરપદાર્થ, તેના વડે થતી તૃપ્તિમાં
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy