________________
૩૦૨
તૃષ્યષ્ટક - ૧૦
या शान्तैकरसास्वादाद् भवेत्तृप्तिरतीन्द्रिया । सा न जिह्वेन्द्रियद्वारा षड्रसास्वादनादपि ॥३॥
જ્ઞાનસાર
ગાથાર્થ :- શાન્ત એકરસ (સમતાસ્વભાવ)ના આસ્વાદનથી જે અતીન્દ્રિય તૃપ્તિ થાય છે. તે જિલ્લા ઈન્દ્રિય દ્વારા ષડ્સના ભોજનથી પણ થઈ શકતી નથી. IIII
ટીકા :- યા શાન્તòત્તિ, યા, ગતીન્દ્રિયા-કૃન્દ્રિયવિષયપ્રદળરહિતા आत्मज्ञानभोक्तृत्ववेद्या स्वरूपानुभवलक्षणा तृप्तिः शान्तैकरसास्वादात्- कषायोद्भवरहितसाम्यरसास्वादनात् भवेत् - लभेत सा तृप्तिः षड्रसास्वादनात् - तिक्ताम्लमधुरकषायकटुक्षाररसभोजनाद् जिह्वेन्द्रियद्वारा - रसनेन्द्रियद्वारा न भवति । रसनेन्द्रियेण पौद्गलिकरसानुभवः, आत्मा च स्वरूपानुभवी पुद्गलगुणानां ज्ञाता, न भोक्ता । पुद्गलगुणा अभोज्या एव । मोहोदयादाहारसञ्ज्ञातः रसास्वादनं न स्वरूपतः । स्वरूपं च ज्ञानानुभवलक्षणमतः आत्मानुभवा तृप्तिः, न पौद्गलिकेति ॥३॥
વિવેચન :- સાચી તૃપ્તિ કોને કહેવાય ? તે સમજાવે છે - “આત્મ-સ્વરૂપને અનુભવવા રૂપ જે તૃપ્તિ છે” તે જ સાચી તૃપ્તિ છે, તે તૃપ્તિ અતીન્દ્રિય છે એટલે ઈન્દ્રિયો દ્વારા રૂપરસ-ગંધ આદિ વિષયો (પુદ્ગલદ્રવ્યો) ગ્રહણ કરાય છે. તેની જેમ આ તૃપ્તિમાં કોઈ પુદ્ગલદ્રવ્યો ગ્રહણ કરાતાં નથી, આત્મગુણોના અનુભવ સ્વરૂપ આ તૃપ્તિ પુદ્ગલદ્રવ્યોના ગ્રહણથી રહિત છે. બાહ્યવિષય વિનાની આ તૃપ્તિ છે. તથા આ આત્મા જ્યારે “આત્મજ્ઞાનનો ભોક્તા બને, આત્મજ્ઞાનની રમણતાવાળો બને, ત્યારે જ જાણી શકાય, સમજી શકાય એવી આ તૃપ્તિ છે.” સમતારસના જ એક આસ્વાદનથી આ તૃપ્તિ થાય છે. જેમ દૂધપાક-પુરી કે શિખંડ-પુરી કે રસ-પુરીના ભોજનથી પૌદ્ગલિક તૃપ્તિ થાય છે તેમ કોઈપણ પ્રકારના પુદ્ગલોના ગ્રહણ વિના “સમભાવનો જે રસ” તેના જ આસ્વાદનવાળી કેવળ આત્માનુભવથી ગમ્ય એવી આ તૃપ્તિ છે. આ ગુણ-રમણતાજન્ય તૃપ્તિ કેવલ અનુભવગમ્ય જ છે. શબ્દોથી અવર્ણનીય છે.
“સમતાભાવનો આ રસ” એટલે કે કષાયોની ઉત્પત્તિથી રહિત, અર્થાત્ ક્રોધ-માનમાયા-લોભ વગે૨ે કષાયો વિના ક્ષમા-નમ્રતા સરળતા અને સંતોષ આદિ ગુણોથી પ્રગટ થયેલા સામ્યરસનો જે આસ્વાદ” છે. તે રસને જેણે માણ્યો હોય તેને જ આ તૃપ્તિ સમજાય તેવી છે. આ તૃપ્તિ (આનંદ-સંતોષ) સ્વભાવદશાની રમણતામાંથી પ્રગટ થાય છે. તેથી જે આત્મા આત્મગુણોના અનુભવમાં લયલીન બને છે. તે આત્માને સ્વભાવદશાની