________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
૩૭
संजोगमूला जीवेण, पत्ता दुक्खपरम्परा । तम्हा संजोगसम्बन्धं, सव्वं, तिविहेण वोसिरियं ॥३॥
હવે જિનેશ્વર પરમાત્માના આગમનું જ્ઞાન પ્રાપ્ત થવા રૂપી અંજન આંજવા દ્વારા મારી અંતર્થક્ષ ખુલવાથી મને સ્વ-પરની વિવેકદૃષ્ટિ પ્રાપ્ત થઈ છે. સાચું મારું શું છે? અને પરાયું શું છે? આવો વિવેક મને જાગ્યો છે. તેથી પ્રગટ થયો છે સ્વ-પરનો વિવેક જેને એવા મારે તે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં અને કુટુંબ-મિત્ર-વર્ગાદિ સ્વજનોમાં રમવાનો આનંદ માણવો તે ઉચિત નથી. આવું વિચારીને એટલે કે પરપદાર્થો ઉપરનો મોહ ત્યજીને “શુદ્ધ સ્વરૂપાત્મક, અનંત, સ્વાભાવિક (અકૃત્રિમ) ગુણ-પર્યાયવાળું તથા સ્યાદ્વાદમય એવું જે અનંત આત્મસ્વરૂપ છે. તેમાં વિશ્રાન્તિને (સ્થિરતાને) હું પામ્યો છું. પરપદાર્થનો મોહ ત્યજીને સ્વસ્વરૂપમાં જ સ્થિર બન્યો છું. મારો આ આત્મા જ અનંત આનંદની સંપત્તિ સ્વરૂપ છે. અનંતાનંત ગુણોના આનંદમય છે. આવું જાણીને આ આત્મા જ પરમાત્મા છે. તેનામાં જ સત્તાથી અનંત ગુણાત્મક સ્વરૂપ રહેલું છે. મારો આ આત્મા જ ભગવાન સ્વરૂપ છે. તેથી પરમ એવા આત્માના સત્તાગત અનંત સ્વરૂપમાં જ આ જીવે મગ્ન થવું જોઈએ. તેમાં જ તલ્લીન બનવું જોઈએ. તેને જ યથાર્થ “મગ્ન” કહેવાય છે. [૧]
य आत्मानुभवमग्न: स कीदृग् भवति, तदाहयस्य ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मग्नता । विषयान्तरसञ्चारस्तस्य हालाहलोपमः ॥२॥
ગાથાર્થ :- જ્ઞાનરૂપી અમૃતના મહાસાગર એવા પરમ આત્મસ્વરૂપમાં જ જે આત્માની મગ્નતા છે. તેને વિષયાન્તરમાં જોડાવું પડે તે હલાહલ વિષતુલ્ય લાગે છે. //રા.
ટીકા :- “ગતિ'–ી નવી મનાવિવિમાવવિરતી જ્ઞાનસુધાસિન્ધज्ञानामृतसमुद्ररूपे परब्रह्मणि-परमात्मसमाधौ मग्नता, (यस्य मग्नताऽस्ति) तस्य जीवस्य विषयान्तरे वर्णगन्धादौ सञ्चारः-प्रवर्तनं हालाहलोपमः-महाविषभक्षणतुल्यः । यो हि अमृतास्वादमग्नः स विषमत्तुं (विषमविषं भोक्तुं) कथं प्रवर्तते ? मालतीभोगमग्नः मधुकरः करीरादिषु न वसति, एवं शुद्ध-निःसङ्ग-निरामय-निर्द्वन्द्वस्वीयात्म-ज्योतिर्मग्नः अनन्तजीवोच्छिष्टेषु स्वयमनन्तवारभुक्तमुक्तेषु, वस्तुतः अभोग्येषु स्वगुणावरणहेतुभूतेषु विषयेषु तस्य मनो न सञ्चरति, न प्रवर्तते इति तत्त्वम् ॥२॥