________________
૩૨
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
હવે ભાવમગ્ન બે પ્રકારનો છે (૧) અશુદ્ધ અને (૨) શુદ્ધ. ત્યાં ક્રોધ-માન-માયાલોભાદિ અશુભ ભાવોમાં જે મગ્ન, એટલે કે વિભાવદશાથી વ્યાપ્ત એવો જે આત્મા તે અશુદ્ધ ભાવમગ્ન સમજવો. શુદ્ધ ભાવમગ્ન બે પ્રકારનો છે (૧) સાધક અને (૨) સિદ્ધ. તે બન્નેનું સ્વરૂપ હવે નયોથી સમજાવે છે.
મગ્ન
નામ
સ્થાપના
દ્રવ્ય
ભાવ
આગમ
નોઆગમ
અશુદ્ધ
શુદ્ધ
શરીર ભવ્યશરીર તવ્યતિરિક્ત સાધક સિદ્ધ तत्र साधको वस्तुस्वरूपाभिमुखः, आद्यनयचतुष्टये तु निरनुष्ठानदग्धादिदोषवर्जित-विध्युपेतद्रव्यसाधनप्रवृत्तिपरिणतः वस्तुस्वरूपसाधनरुचिमतो (रुचिमान्) भवति । शब्दादिनयमग्नस्तु सम्यग्दर्शनज्ञानचारित्राद्यात्मसमाधिमग्नः, सिद्धमग्नः सम्पूर्णवस्तुस्वरूपे निरावरणे मग्नः निष्पन्नः । अत्र हि गुणस्थानादिविशुद्धस्वरूपानन्दमग्नत्वमीक्ष्यते । तत्र मग्नत्वलक्षणं वदन्नाह -
વસ્તુના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તેને અભિમુખ થયેલ આત્મા, (આત્માના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવા તેના ઉપાયોમાં પ્રવર્તતો આત્મા) તે સાધકભાવમગ્ન કહેવાય છે. અહીં આ વિષયમાં સાત નયોથી વિચારણા કરાય છે. નૈગમાદિ પ્રથમના ચાર નયો દ્રવ્યગ્રાહી હોવાથી સ્થૂલનયો છે અને શબ્દાદિ પાછળના ત્રણ નયો પર્યાયગ્રાહી હોવાથી સૂક્ષ્મનયો કહેવાય છે. ત્યાં નિરનુષ્ઠાન અને દગ્ધ અનુષ્ઠાન આદિ દોષોથી રહિતપણે તથા વિધિસહિત દ્રવ્યક્રિયા કરવાની પ્રવૃત્તિથી પરિણત થયેલો એવો જે આત્મા વસ્તુના શુદ્ધ સ્વરૂપને સાધવાની રુચિવાળો હોય છે તે પ્રથમના ચાર નયની અપેક્ષાએ સાધકભાવમગ્ન કહેવાય છે અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રાત્મક ગુણમય આત્મસમાધિમાં જે મગ્ન બને છે તે શબ્દાદિ પાછલા ત્રણે નયોની અપેક્ષાએ સાધક ભાવમગ્ન કહેવાય છે. સાધકભાવમગ્નમાં ૧. ઉપયોગ રહિત સમૂર્ણિમાની પ્રવૃત્તિ તુલ્ય જે ક્રિયા તે નિરનુષ્ઠાન. ૨. આ લોકના સુખની ઈચ્છાથી જે ક્રિયા કરાય તે વિષાનુષ્ઠાન અને પરલોકના સુખની ઈચ્છાથી જે
અનુષ્ઠાન કરાય તે ગરાનુષ્ઠાન. આ બન્ને અનુષ્ઠાનોને દગ્ધાનુષ્ઠાન કહેવાય છે.