SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૯ સંવત લેશ્ય રસને વાર શેયપદાર્થ (૧૭૬૬) વિચારોજી ! અનુપમ પરમાતમપદ ધારો, માધવમાસ ઉદારોજી // ખરતર આચારજ ગચ્છાધારી, જિનચંદ્રસૂરિ જયકારીજી તસુ આદેશ લહી સુખકારી, શ્રી સુલતાન મઝારીજી || ધ્યાન દીપિકા એહવો નામો, અરથ અછે અભિરામો જી. રવિશશિ લગી ધિરતા એ પામી, દેવચંદ્ર કહે આમોજી . શ્રી દેવચંદ્રજીએ વિક્રમ સંવત ૧૭૬૬ નું ચાતુર્માસ બીકાનેર (રાજસ્થાનમાં) કર્યું, અને વિક્રમ સંવત ૧૭૬૭ ના પોષ માસમાં “દ્રવ્યપ્રકાશ” નામનો ગ્રન્થ સાત ભાષામાં બનાવ્યો. (તે કાલે વય ૨૧ વર્ષની). તે ગ્રન્થની પ્રશસ્તિ આ પ્રમાણે છે – અન્ય મત સૌ અરૂંદ, બંધત હે દેવચંદ્રા એસે જૈન આગમમેં, દ્રવ્યપ્રકાશ હૈ || વિક્રમ સંવત માન યહ ભય લેશ્યા કે ભેદ શુદ્ધસંયમ અનુમોદિએ કરી આશ્રવકો છેદ // (૧૭૬૭) ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૭૪ માં શ્રી રાજસાગરવાચક તથા ૧૭૭૫ માં શ્રી જ્ઞાનધર્મ પાઠક આ બન્ને વડીલ ગુરુઓ સ્વર્ગસ્થ થયા. ત્યાર પછી મોટા કોટમરોટમાં (રાજસ્થાનમાં) ચાતુર્માસ કર્યું. ત્યાં વિક્રમ સંવત ૧૭૭૬ ના ફાગણ માસમાં પોતાના અત્યન્ત સહાયક મિત્ર એવા દુર્ગાદાસના આત્મકલ્યાણ અર્થે “આગમસારોદ્ધાર” નામના ગ્રન્થની રચના કરી. આ વાત તેઓએ પોતે જ સ્વહસ્તે તે ગ્રંથમાં જણાવી છે. તે આ પ્રમાણે આગમ સારોદ્ધાર યહ, પ્રાકૃત સંસ્કૃત રૂપ / ગ્રન્થ કીનો દેવચંદ્ર મુનિ, જ્ઞાનામૃત રસકૂપ | કર્યો ઈહાં સહાય અતિ, દુર્ગાદાસ શુભચિત્ત ! સમજાવન નિજ મિત્તલુ, કિીનો ગ્રન્થ પવિત્ત છે. સંવત સિત્તર છિદત્તરે, મન શુદ્ધ ફાગણ માસ | મોટે કોટમરોટમેં, વસતા સુખ ચોમાસ છે ત્યારબાદ વિક્રમ સંવત ૧૭૭૭ માં પાટણ (ગુજરાત) માં પધાર્યા. ત્યાં પૂર્ણિમા ગચ્છના નગરશેઠ શ્રીમાળી વંશીય શ્રાવક દોશી તેજશી જેતસીએ પૂર્ણિમા ગચ્છના આચાર્ય શ્રી ભાવપ્રભસૂરિજીના ઉપદેશથી સહગ્નકુટ જિનબિંબ ભરાવીને તેમની પાસે જ પ્રતિષ્ઠા
SR No.007776
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy