________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગ્ગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિદ્ઘિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)
૨૦
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ ઉધરસ આવવાથી,૪- છીંક આવવાથી, ૫ – બગાસુ આવવાથી, ૬ - ઓડકાર આવવાથી, ૭– વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧)
૧૦ – સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧ – ફૂંક-કફનો સંચાર, ૧૨ – દૃષ્ટિનો સંચાર થવાથી. (૨)
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, આત્માને વોસિરાવું છું. (૫)
બીજા ચાર આગાર : ૧- અગ્નિના ઉપદ્રવથી સ્થળાંતર તથા વીજળીના પ્રકાશથી વસ્ત્ર ઓઢવું પડે. ૨- ઉંદર બિલાડી વિ.આડા ઉતરે અથવા પંચેન્દ્રિયનું છેદન ભેદન થતું હોય તો બીજે સ્થાને જવું પડે.૩- અકસ્માત્ ચોરની ધાડ આવી પડે અથવા રાજાદિક ના ભયથી બીજે જવું પડે. ૪- સિંહ વગેરેના ઉપદ્રવથી અથવા સર્પાદિક દંશ કરે તેમ હોય તો અથવા ભીંત પડે તેવી હોય તો સ્થળાંતર કરવું પડે.
કાયોત્સર્ગ ક્યારે ક્યારે ભંગ ન થાય, તે દર્શાવવા ૧૬ આગાર - છૂટ એ આ સૂત્રનો મુખ્ય વિષય છે. આ સૂત્રમાં કાયોત્સર્ગના છૂટ, કાયોત્સર્ગની કાળ મર્યાદા, કાયોત્સર્ગ કઈ રીતે કરવો તેનું સ્વરૂપ, કાયોત્સર્ગનો સંકલ્પ કે પ્રતિજ્ઞા દર્શાવાયેલ છે.
‘અન્નત્ય...હુઝઝ મે કાઉસ્સગ્ગો' માં કાયોત્સર્ગના અપવાદ-છૂટ છે. ‘જાવ અરિહંતાણ....ન પારેમિ તાવ' કાયોત્સર્ગનો સમય છે. ‘કાર્ય....ઝાણેણં’ કાઉસ્સગ્ગનું સ્વરૂપ છે. ‘અપ્પાણં વોસિરામિ’ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા છે.