________________
xxviii
પછી બે હાથ જોડી લલાટ ઉપર રાખતાં બોલે છે કે “ખમણિજ્જો ભે! કિલામો અહીં સુધીનાં પદોનો સમાવેશ અનુજ્ઞાપન-સ્થાનમાં થાય છે. ૩. અવ્યાબાધ-પૃચ્છા-સ્થાન
અમ્યુકિલતાણ બહસુભેણ બે દિવસો વઈર્ષાતો? – અલ્પગ્લાનિવાળા એવા આપનો દિવસસુખપૂર્વકથયો છે?
અંત:કરણથી પ્રસન્નતાપૂર્વક થતા કામમાં કંટાળો જણાતો નથી, તેથી ગ્લાનિ પણ ઓછી જ લાગે છે. અહીં ગુરૂને અલ્પ ગ્લાનિવાળા કહેવાનો હેતુ, તેઓ દિનચર્યાને પ્રસન્નતાપૂર્વક અનુસરનારા છે, એમ જણાવવાનો છે. “બહુશુભ' શબ્દ અવ્યાબાધ સ્થિતિ એટલે રોગાદિ પીડા-રહિત સ્થિતિ સૂચવવાને માટે વપરાયેલો છે. તેથી આ વાક્ય દ્વારા ગુરૂને વિનય-પૂર્વક એમ પૂછવામાં આવે છે કે આપને ગ્લાનિ તો નથી થઈ? આપ શાતામાં છો? કોઈ જાતની પીડાતો નથી ને? ગુરૂ કહે છે કે- તેમજ છે; અર્થાત્ હું અલ્પ ગ્લાનિવાળો અને શરીરથી નિરાબાધછું. ૪. યાત્રા-પૃચ્છા-સ્થાન
જત્તા ભે?-આપને સંયમયાત્રા (સુખ-પૂર્વક) વર્તે છે?
સંયમનો નિર્વાહએ ભાવયાત્રા છે, અને ભાવયાત્રા” છે તે જ સાચી યાત્રા છે. તેથી “યાત્રા” શબ્દથી અહીં સંયમનો નિર્વાહ સમજવાનો છે. આબે પદના ત્રણ અક્ષરો વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતેઃ
જ-અનુદાત્ત સ્વરથી (નીચા સ્વરે) બોલાય છે. અને તે જ વખતે ગુરૂની ચરણસ્થાપનાને બે હાથે સ્પર્શ કરવામાં આવે છે.
ત્તા - સ્વરિત સ્વર (મધ્યમ સ્વરે) બોલવામાં આવે છે અને તે વખતે ચરણ-સ્થાપના પરથી ઉઠાવી લીધેલા હાથ (રજોહરણ અને લલાટ વચ્ચે હૃદયસ્થાને રાખવામાં) ચત્તા કરવામાં આવે છે.
બે-ઉદાત્ત સ્વરથી (ઉંચા સ્વરે) બોલવામાં આવે છે અને તે વખતે દષ્ટિ ગુરૂ-સમક્ષ રાખી બંને હાથ લલાટે લગાડવામાં આવે છે.