SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૩૦૭ દુવિહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે દિવસ-ચરિમં પચ્ચકખાઇ (પચ્ચકખામિ) દુવિહં પિ આહાર અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ પર્યત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેમાં બે પ્રકારના આહાર એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વગેરે) અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવીતે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ : પૂ.ગુરુભગવંતની આજ્ઞા મેળવ્યા પછી, રાત્રે સમાધિ ટકે અને ચોવિહાર સુધી પહોંચવાની શક્તિ પ્રાપ્ત થાય, તે માટે આ પચ્ચકખાણ, ઔષધ-પાણી લેનારે કરવું).
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy